For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ખાલી પડેલા 181 આવાસો માટે બુધવારથી ફોર્મ ભરાશે

03:45 PM Mar 28, 2025 IST | Bhumika
ખાલી પડેલા 181 આવાસો માટે બુધવારથી ફોર્મ ભરાશે

Advertisement

રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતાલીલુબેન જાદવ, શાસક પક્ષ દંડકશ્રી મનીષભાઈ રાડીયા અને હાઉસિંગ ઈમ્પ્રુવમેન્ટ અને ક્લીયરન્સ સમિતિના ચેરમેન તરીકે નિતિનભાઈ રામાણી એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ પામેલ અને ખાલી પડેલ, શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલ LIG કેટેગરીના 137 આવાસો તથા EWS-2 કેટેગરીના 44 આવાસો માટે ફોર્મ તા.02/04થી તા.01/05 દરમ્યાન રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટwww.rmc.gov.in પર જઇ ઓનલાઇન ભરી શકાશે.
ઓનલાઇન ફોર્મ ફી રૂૂ. 50/- રહેશે તેમજ નિયમાનુસાર ડિપોઝીટ ભરપાઇ કરવાની રહેશે. ફોર્મ તેમજ ફોર્મની ફી અને ડીપોઝીટ ભરવાની સમગ્ર પ્રક્રિયા ફકત અને ફકત ઓનલાઇન જ રહેશે. LIG કેટેગરીના આવાસોની વિગત મુજબ 02 BHK, ક્ષેત્રફળ 50 ચો.મીટર, આવાસની કિંમત રૂૂ. 12 લાખ, વાર્ષિક આવકમર્યાદા રૂૂ. 3 થી 6.00 લાખ, ડિપોઝીટ રૂૂ. 20,000/- EWS-2 કેટેગરીના આવાસોની વિગત મુજબ 1.5 BHK, ક્ષેત્રફળ 40 ચો. મીટર, આવાસની કિંમત રૂૂ. 5.50 લાખ, વાર્ષિક આવકમર્યાદા રૂૂ. 3 લાખ, ડિપોઝીટ રૂૂ. 10,000/- ફોર્મ ભરતી વખતે કોઇ ટેકનિકલ સમસ્યા ઉદભવે તો આવાસ યોજના વિભાગના ફોન નં. 0281 - 2221615 પર સંપર્ક સાધવો.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement