રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

અમદાવાદના દાણીલીમડામાં ફ્લેટમાં લાગી ભીષણ આગ, 15 દિવસના બાળકનું મોત, 8 દાઝ્યા

10:19 AM Mar 07, 2024 IST | Bhumika
Advertisement

 

Advertisement

 

અમદાવાદના જાણીતા વિસ્તાર દાણીલીમડામાં આગની ઘટના સામે આવી છે. દાણીલીમડાના પટેલ વાસમાં ખ્વાજા ફ્લેટમાં વહેલી સવારે મીટરમાં આગ લાગી હતી. . પાર્કિંગમાં લાગેલી આગ એકાએક એવી ફેલાઈ કે ફ્લેટના બીજા માળ સુધી પહોંચી ગઇ હતી. આગની ઘટનાની જાણ થતાં જ અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.

સીડીમાંથી આગ વધુ પ્રસરતા લોકો બહાર નીકળવા ગયા હતા. આ આગમાં 15 દિવસના બાળક સહિત 9 લોકો દાઝ્યા હતા. જેમને સારવાર અર્થે એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે 15 દિવસના બાળકનું મોત નિપજ્યું છે. જ્યારે અન્ય 8 લોકો સારવાર હેઠળ છે. ફાયરબ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ બૂઝાવી લીધી હતી. પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા બાદ આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. આગની ઘટના સમયે ફ્લેટમાંથી 30થી વધુ લોકોને રેસ્ક્યૂ કરાયા હોવાના પણ અહેવાલ છે.

 

Tags :
AhmedabadAhmedabad newsDanilimdaDanilimda firedeathfiregujaratgujarat news
Advertisement
Next Article
Advertisement