રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ગુરુ સાથે ચાલતા ઝઘડાથી કંટાળી કિન્નરનો ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ

12:10 PM Jul 02, 2024 IST | admin
Advertisement
Advertisement

કાલાવડમાં રહેતા કિન્નરે ગુરૂ સાથે ચાલતા ઝઘડાથી કંટાળી ફિનાઇલ પી લીધુ હતું. કિન્નરને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડાયા હતા.

આ બનાવ અંગે જાણવા મળતી વિગત અનુસાર કાલાવડના કાશ્મીરપરા વિસ્તારમાં રહેતા મયુરીદેવી નામની 22 વર્ષની કિન્નર પોતાના ઘરે હતી. ત્યારે સવારના અરસામાં ફિનાઇલ પી લધુ હતું. મયુરીદેવીને ઝેરી અસર થતા તાત્કાલીક સારવાર માટે કાલવડ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેની તબિયત નાજુક જણાતા વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

પ્રાથમિક પૂછપછરછમાં મયુરીદેવી છેલ્લા પાંચ વર્ષથી આદીપુરમાં તેના ગુરૂ સબનમદેવી સાથે રહેતી હતી. પરંતુ ગરૂએ આદીપુરમાં કોઇપણ જગ્યાએ માંગવા જવાની ના પાડતા બંન્ને વચ્ચે રકઝક થતા મયુરીદેવી છેલ્લા 10 મહિનાથી કાલાવડ ખાતે રહેવા માટે આવી ગઇ હતી. ગુરૂ સાથે ચાલતા ઝઘડાથી કંટાળી મયુરીદેવીએ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે કાલાવડ રોડ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
gujaratgujarat newsKalavadKalavad newsrajkotrajkot newssuicide
Advertisement
Next Article
Advertisement