રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

‘તે મારી દિકરીની છેડતી કેમ કરી’ તેમ કહી પિતા-પુત્રનો બે યુવાન ઉપર હુમલો

05:25 PM Feb 20, 2024 IST | Bhumika
Advertisement

શહેરમાં 80 ફુટ રોડ ઉપર આવેલા આંબેડકરનગરમાં લગ્ન પ્રસંગે દીકરી જમાઈ આવ્યા હતા ત્યારે પુત્રીની છેડતી કરી હોવાના આરોપ સાથે પિતા પુત્રએ તે મારી દીકરીની છેડતી કેમ કરી હતી તેમ કહી બે યુવાન ઉપર હુમલો કર્યો હતો હુમલામાં ઘવાયેલા બંને યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

Advertisement

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ 80 ફુટ રોડ ઉપર આવેલા આંબેડકરનગરમાં રહેતા સુરેશ હમીરભાઈ જાદવ (ઉ.વ.41) અને ગણપત સુખાભાઈ જાદવ (ઉ.વ.38) નામના બંને યુવાનો સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે હતા ત્યારે પ્રવીણ અને તેના પુત્ર ગૌરવ સહિતના શખ્સોએ ઝઘડો કરી પાઇપ વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા બંને યુવકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરતા થોરાળા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.

પ્રાથમિક પૂછપરછમાં હુમલાખોર પ્રવીણની પાડોશમાં પરમ દિવસે લગ્ન હતા ત્યારે તેના દીકરી જમાઈ લગ્નમાં આવ્યા હતા ત્યારે સુરેશ નામના શખ્સે લગ્નમાં આવેલી પુત્રીની છેડતી કરી હોવાના આક્ષેપ સાથે પ્રવીણભાઈએ સુરેશને તે મારી દીકરીની છેડતી કેમ કરી હતી? તેમ કહી હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે થોરાળા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement