ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ખેડૂતોના ખાતરનું બારોબાર વેચાણ, 904માંથી 54 કેન્દ્રો પર બિલ જ ન હતા, 138ના સ્ટોકમાં ગોટાળા

05:18 PM Aug 19, 2025 IST | Bhumika
Advertisement

રાજ્યમાં સબસિડીવાળા ખાતરમાં થયેલા ગોટાળા મુદ્દે મોટો ખુલાસો થયો છે વડાલીની મહેતા મોટર્સ દ્વારા સબસિડીવાળું ખાતર બારોબર વેચી માર્યું હોવાની પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

Advertisement

રાજ્યમાં સબસિડીવાળા ખાતરની અછત સર્જાયા બાદ ખેડૂતોને ભારે તકલીફનો સામનો કરવો પડ્યો હતો અને ત્યારે તપાસમાં જણાયું હતું કે ઘણા વેપારીઓએ ખાતરના કાળા બજાર કર્યા છે અને સબસિડીવાળા ખાતરનો જથ્થો બારોબાર વેચી મારીને રોકડી કરી લીધી છે અને તેના કારણે સરકારના ખેતી વિભાગ દ્વારા રાજ્યના અલગ અલગ સ્થળો પર દરોડા પણ પાડવામાં આવ્યા હતા.

ખેતી નિયામક કચેરીએ દરોડાની કરેલી કાર્યવાહી બાદ 214 કેન્દ્રના સંચાલકોને શો કોઝ નોટિસ અપાઇ હતી. તપાસમાં જણાયું કે 54 કેન્દ્ર પર તો ખાતરના વેચાણના બિલ જ ન હતા અથવા ખોટા બનેલા હતા. જ્યારે 138 કેન્દ્ર પર સ્ટોક પત્રકમાં ગરબડી સામે આવી હતી.

તપાસમાં 117 કેન્દ્ર પર પત્રક અને ઙઘજ મશીનનો સ્ટોક મેચ પણ થયો ન હતો અને 119 કેન્દ્ર પર રજીસ્ટરમાં દર્શાવેલી ખાતરની થેલીઓ જ ગાયબ થયેલી જણાઇ હતી. તપાસ ટીમને 101 સંચાલકોએ તો ગોડાઉનના સ્થળની માહિતી જ આપી ન હતી અને તેમના ગોડાઉનો ક્યાં આવેલા છે તેની જાણ પણ સરકારને કરી ન હતી. અત્યાર સુધી 18 જિલ્લાના કુલ 904 કેન્દ્રોની તપાસ પૂર્ણ કરાઇ હોવાનું બહાર આવ્યું છે.

Tags :
Farmersfertilizergujaratgujarat news
Advertisement
Next Article
Advertisement