For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાણપુરના બોડિયામાં ઝાડ પર ચડેલ સાપને દૂર ખસેડવા જતા યુવકનું વીજશોકથી મોત

11:37 AM Nov 04, 2025 IST | admin
રાણપુરના બોડિયામાં ઝાડ પર ચડેલ સાપને દૂર ખસેડવા જતા યુવકનું વીજશોકથી મોત

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના બોડિયા ગામે તળાવ પાસે દેવીપુજક સમાજના ઘર આવેલા છે ત્યાં તળાવના પાળા ઉપર પીજીવીસીએલની ઇલેવન લાઈન પસાર થાય છે ત્યાં મસમોટા ઝાડવાઓ લાઈન સાથે અડેલા છે ત્યારે જયદીપભાઇ રણછોડભાઈ ચેખલીયા નામના 27 વર્ષીય યુવક તેના ઘર પાસે ત્યાં સાપ નીકળતા તેને કાઢવા જતા સાપ ઝાડવા ઉપર ચડી જતા આ યુવક સાપ ને લાકડાના વાંસ થી કાઢવા જતા વાંસ પીજીવીસીએલના ઇલેવન તાર સાથે અડીજતા યુવકને વીજશોક લાગતા જયદિપભાઇ રણછોડભાઈ ચેખલીયા ઉંમર. 27 વર્ષ નું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

Advertisement

યુવકને વીજશોક લાગતા જ આસપાસના લોકો સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને રાણપુર પીજીવીસીએલ કચેરી એ જાણ કરતાં રાણપુર પીજીવીસીએલ કચેરીના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.જ્યારે મૃતકના પરિવારજનો અને ગામના આગેવાનોએ મૃતક યુવકને પી.એમ. માટે રાણપુર ની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ. ત્યારે રાણપુર પીજીવીસીએલ દ્વારા તળાવ ના પાળા ઉપર જે મોટા ઝાડવા છે અને ઇલેવન લાઈન સાથે અડેલા છે તેને કટીંગ કરવામાં આવે જેથી કરીને ફરીવાર કોઈ આવી વીજશોક ની આકસ્મિત ઘટના ન બને અને બીજા કોઈ વ્યક્તિનો ભોગ લેવાય એ પહેલા સમારકામ કરવામાં આવે તેવું બોડીયા ગામના લોકોની માંગ છે..

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement