જામનગરના ખીજડિયા ગામે ખેડૂતને વીજ આંચકો લાગતા મોત
11:58 AM Nov 28, 2025 IST
|
Bhumika
Advertisement
વાડીમાં કામ કરતી વેળાએ બનાવ બન્યો
Advertisement
જામનગર નજીક ખીજડીયા ગામમાં રહેતા અને ખેતીવાડી સંભાળતા પરષોત્તમભાઈ રાજાભાઈ કમાણી નામના 57 વર્ષના ખેડૂત, કે તેઓ તારીખ 2,11,2025 ના રોજ પોતાની વાડીમાં પતરા ની ઓરડી પાસે કામ કરી રહ્યા હતા, જ્યાં તેઓને એકાએક વિજ આંચકો લાગ્યો હતો, અને બેશુદ્ધ બન્યા હતા.
જેમને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નીપજ્યું છે. આ બનાવ અંગે મૃતકના પુત્ર નિકુંજ પરસોત્તમભાઈ કમાણી એ પોલીસને જાણ કરતાં પંચકોશી એ. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ જી કે જાડેજા હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી સમગ્ર બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
Next Article
Advertisement