ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મોરબીમાં ગૃહકલેશથી પરિવારનો માળો પિંખાયો : નવોઢાનો આપઘાત

12:16 PM Jul 26, 2025 IST | Bhumika
Advertisement

મોરબીમાં આવેલ વિસીપરા વિસ્તારમાં રહેતા શ્રમિક સગીરાએ પતિ સાથે ઝઘડો થતાં પતિને ફડાકા ઝીંકી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. શ્રમિક નવોઢાના મોતથી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.

Advertisement

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, મોરબીમાં આવેલા વિસીપરા વિસ્તારમાં રહેતી રોશનીબેન રામુભાઈ મેડા નામની 17 વર્ષની નવોઢા રાત્રીનાં દસેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતી ત્યારે લાકડાના આડીમાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. નવોઢાને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે નિષ્પ્રાણ જાહેર કરતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.

પ્રાથમિક પુછપરછમાં મૃતક રોશનીબેન મેડા મુળ મધ્યપ્રદેશની વતની છે અને તેણીના બે મહિના પહેલા જ લગ્ન થયા છે. પતિ સાથે ઝઘડો થતાં રોશનીબેને પતિ રામુ મેડાને ફડાકા ઝીંકી રૂમમાં ઘુસી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
gujaratgujarat newsmorbimorbi newssuicide
Advertisement
Next Article
Advertisement