ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સૌરાષ્ટ્રથી સુરત જતા પરિવારની કારમાં આગ ભભૂકી : તમામનો બચાવ

04:49 PM Oct 27, 2025 IST | admin
Advertisement

વડોદરા નજીક મહીસાગર પરના બ્રિજ પર મોડી રાત્રે બનેલી ઘટના : બનાવને પગલે ટ્રાફિક જામ

Advertisement

વડોદરા નજીક મહીસાગર પરના બ્રિજ ઉપર ગઈ મોડી સાંજે એક કાર આગમાં લપેટાતા સુરતના પરિવારનો બચાવ થયો હતો. સિંધરોટ નજીક ઉમેટા બ્રિજ પાસે બનેલા બનાવની વિગત એવી છે કે સુરતના એક પરિવારના પાંચ સભ્યો સૌરાષ્ટ્રથી પરત ફરી રહ્યા હતા ત્યારે એન્જિનના ભાગેથી ધુમાડા નીકળતા કોઈ વાહન ચાલકનું ધ્યાન ગયું હતું અને તેણે કાર ચાલકને જાણ કરી હતી.

કારચાલક સતકે થઈ ગયા હતા અને તરત જ બાજુમાં કાર પાર્ક કરી પરિવાર સહિત નીચે ઉતરી ગયા હતા તેમજ સામાન પણ બહાર કાઢી લીધો હતો. ત્યારબાદ તરત જ આગ ભડકી ઉઠી હતી અને જોત જોતામાં આખી કાર આગમાં સળગવા માંડી હતી.

બનાવને પગલે બ્રિજ તરફ જતો આવતો ટ્રાફિક બંધ કરી દેવાતા વાહનોની લાંબી કતાર જામી હતી. વાસણા રોડ ફાયર બિગેડની ટીમ દ્વારા આગ કાબુમાં લેવામાં આવી હતી. લગભગ એક કલાક બાદ વાહન વ્યવહાર રાબેતા મુજબનો થયો હતો.

Tags :
firegujaratgujarat newsSaurashtravadodaravadodara news
Advertisement
Next Article
Advertisement