રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

નંદનવન સોસાયટીમાં વૃદ્ધ દંપતીએ સજોડે એસિડ પીધું: પતિનું મૃત્યુ

06:07 PM Feb 28, 2024 IST | Bhumika
Advertisement

શહેરમાં આવેલી નંદનવન સોસાયટીમાં રહેતા વૃદ્ધ દંપતીએ કોઈ અગમ્ય કારણસર સજોડે એસિડ પી લીધું હતું જેમાં પતિએ સારવાર મળે તે પૂર્વે જ દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ નંદનવન સોસાયટીમાં આવેલા બાપા સીતારામ ચોક પાસે રહેતા નરશીભાઈ ચનાભાઈ વડાલીયા (ઉ.વ.65) અને તેમના પત્ની લીલાબેન નરશીભાઈ વડાલીયા (ઉ.વ.66) પોતાના ઘરે હતા ત્યારે બપોરના સાડા ત્રણેક વાગ્યાના અરસામાં સજોડે એસિડ પી લીધું હતું દંપતીને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર કારગત નીવડે તે પૂર્વે જ નરશીભાઈ વડાલીયાએ ટૂંકી સારવાર દરમિયાન હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.

Advertisement

પ્રાથમિક પૂછપરછમાં મૃતક નરશીભાઈ વડાલીયા અને લીલાબેન વડાલીયાને સંતાનમાં એક પુત્ર છે પુત્ર ગઈકાલે કારખાને ગયો હતો અને તેની પત્ની શિલ્પાબેન કાકાજી સસરાના ઘરે લગ્ન પ્રસંગ હોવાથી ત્યાં ગયા હતા ત્યારે બંને વૃદ્ધ દંપતિ ઘરે હતા ત્યારે કોઈ અગમ્ય કારણસર સજોડે એસિડ પી લીધું હતું અને બાદમાં દંપતીએ દેકીરો કરતા પાડોશી એકઠા થઈ ગયા હતા અને પાડોશી દ્વારા તેના પુત્રના સાળાને જાણ કરતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા પરંતુ સારવાર મળે તે પૂર્વે છે નરશીભાઈ વડાલીયાનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી સજોડે એસિડ પીવા પાછળનું કારણ જાણવા તપાસનો દોર લંબાવ્યો છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newssuicide
Advertisement
Next Article
Advertisement