For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીમાં TET અંગે સુપ્રિમ કોર્ટના ચૂકાદા સામે શૈક્ષિક મહાસંઘનુ કલેકટરને આવેદન

12:15 PM Sep 16, 2025 IST | Bhumika
મોરબીમાં tet અંગે સુપ્રિમ કોર્ટના ચૂકાદા સામે શૈક્ષિક મહાસંઘનુ કલેકટરને આવેદન

Advertisement

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ (ABRSM ) દ્વારા સમગ્ર ભારતના તમામ જિલ્લાઓ પર જિલ્લા કલેકટર ને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને સંબોધન કરતું આવેદનપત્ર આપાયું. સંગઠન દ્વારા તા. 01 સપ્ટેમ્બર 2025ના ઉચ્ચતમ ન્યાયાલય દ્વારા આપવામાં આવેલા ચુકાદા પર તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગણી કરવામાં આવી. આ ચુકાદા અનુસાર ધોરણ 8 સુધી ભણાવતાં તમામ સેવારત શિક્ષકો માટે શિક્ષક પાત્રતા પરીક્ષા (TET ) ફરજિયાત કરી દેવામાં આવી છે, ભલે તેમની નિમણૂંકની તારીખ કોઈપણ હોય. આ સ્થિતિ દેશભરના લાખો શિક્ષકોની સેવાસુરક્ષા અને રોજગારને સંકટમાં મૂકી શકે છે.

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે સ્પષ્ટ કર્યું છે કે આરટીઈ અધિનિયમ 2009 અને એનસીટીઈ નું તા. 23 ઓગસ્ટ 2010ની જાહેરનામા મુજબ બે અલગઅલગ શ્રેણીઓ માન્ય હતી 2010 પૂર્વે નિમણૂંક પામેલા શિક્ષકો, જેઓને પાત્ર માનવામાં આવ્યા હતા અને જેમને TET માથી છૂટ આપવામા આવી હતી તથા 2010 પછી નિમણૂંક પામેલા શિક્ષકો, જેમને નિશ્ચિત સમયગાળામા TET પાસ કરવું જરૂૂરી હતું. ન્યાયાલયના આ ચુકાદાએ આ ભેદને અવગણ્યો છે જેના કારણે 2010 પૂર્વે નિયમિત રીતે નિમણૂંક પામેલા શિક્ષકોની સેવાઓ પણ અસુરક્ષિત બની ગઈ છે.

Advertisement

એબીઆરએસએમના અધ્યકક્ષે જણાવ્યું કે અનેક વર્ષોથી શિક્ષણ વ્યવસ્થાને સંભાળી રહેલા અનુભવી શિક્ષકો પર અચાનક TET ની ફરજિયાતતા લાદવી માત્ર અન્યાયપૂર્ણ જ નથી પરંતુ તે શિક્ષણની સાતત્યતા પણ ભંગ કરશે. સરકારને તાત્કાલિક હસ્તક્ષેપ કરીને આ નિયમને માત્ર ભવિષ્યની નિમણૂંકો પર લાગુ કરવો જોઈએ. આ ચુકાદાથી 20 લાખથી વધુ શિક્ષકો પ્રભાવિત થશે. જેઓએ કાનૂની પ્રક્રિયા હેઠળ નિમણૂંક મેળવી હતી, આ સ્થિતિ શિક્ષકોના મનોબળને ખંડિત કરશે અને શિક્ષણ વ્યવસ્થામાં પ્રતિકૂળ અસર પેદા કરશે.તેથી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસઘે પ્રધાનમંત્રી ને વિનંતી કરી છે કે આ ચુકાદાને માત્ર ભવિષ્યલક્ષી રીતે અમલમાં મૂકવામા આવે 2010 પૂર્વે નિમણૂંક પામેલા શિક્ષકોની સેવાસુરક્ષા અને ગૌરવની રક્ષા કરવામાં આવે અને જરૂૂરી નીતિગત અથવા કાનૂની પગલાં લઈને લાખો શિક્ષકોના ભવિષ્યને સુરક્ષિત કરવામાં આવે એ માટે આવેદનપત્ર અર્પણ કરાયું.

Advertisement
Tags :
Advertisement
Advertisement