For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીમાં સામાકાંઠા વિસ્તારમા પીવાના પાણીની સમસ્યાનો આવશે અંત, પાનેલી તળાવ નવીનીકરણને મંજૂરી

12:13 PM Jul 25, 2025 IST | Bhumika
મોરબીમાં સામાકાંઠા વિસ્તારમા પીવાના પાણીની સમસ્યાનો આવશે અંત  પાનેલી તળાવ નવીનીકરણને મંજૂરી

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાના ઉકેલ રૂૂપે તંત્ર દ્વારા પાનેલી તળાવ નવીનીકરણ યોજનાને મંજુરી આપી છે મોરબી મહાનગરપાલિકા દ્વારા પાનેલી તળાવ પર આધારિત નવા પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ યોજના અમલમાં મુકાઈ છે 25 ખકઉ ક્ષમતા ધરાવતું વિસ્તૃત પ્લાન્ટ, નવું પમ્પીંગ સ્ટેશન સહિતની કામગીરી સાથે પાઈપલાઈન નેટવર્ક વિકસાવવામાં આવશે જેની અંદાજીત રકમ ખર્ચ રૂૂ 40.47 કરોડ થશે.

Advertisement

જેમાં ઝીરો લીક્વીડ ડીસ્ચાર્જ ટેકનોલોજી સાથે 35 ખકઉ ક્ષમતા ધરાવતું વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, રેપીડ ગ્રેવિટી સેન્ડ લીફ્ત્ર દ્વારા ગતિશીલ રીતે પાણી શુદ્ધિકરણ, 25 ખકઉ ગ્રાઉન્ડ સર્વિસ રીઝવોઈર પાણીના સંગ્રહ માટે, પ્લાન્ટ માટે ઓવર હેડ બેકવોશ ટેંક સહિતની સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે પાનેલી તળાવ રાજાશાહી સમયનું એતિહાસિક તળાવ જેની આશરે 200 ખઈઋઝ પાણી સંગ્રહ ક્ષમતા છે તે મોરબી શહેર પૂર્વ ભાગ માટે મુખ્ય પાણી સ્ત્રોત તરીકે પસંદ કરવામાં આવ્યું છે.

મોરબી શહેરમાં પીવાના પાણીની સમસ્યાઓનો અંત લાવવા રાજ્ય સરકાર દ્વારા રૂૂ. 56.28 કરોડના ચાર વિકાસ કામોને લીલીઝંડી આપી છે. જેને લઈને ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement