વોર્ડ નં.6ના લોકદરબારમાં ડ્રેનેજની સૌથી વધુ ફરિયાદ
મનપાના જુદા-જુદા વિભાગમાં કુલ-39 રજૂઆતો કરાઇ: નાગરિકો દ્વારા કરાયેલી ફરિયાદોનું ટૂંક સમયમાં હકારાત્મક નિકાલ કરવા મેયર કરશે પ્રયાસ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વોર્ડ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના કામો, આંતરમાળખાકીય વિકાસના કામો તથા પ્રવાસન અને હરવા ફરવાના સ્થળ વિકસાવવાના લોકોપયોગી અને પ્રજાકીય કામો કરવામાં આવે છે. આ કામો વધુ સારી રીતે અને સમયમર્યાદામાં થાય તે રીતે પૂર્ણ કરવા માટે નાગરિકોને સાથે રાખી તેઓની રજુઆતો, પ્રશ્નો, ફરિયાદો અને સુચનો આવકારવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મેયર નયનાબેન પેઢડીયાના અધ્યક્ષ સ્થાને વોર્ડવાઈઝ મેયર તમારા દ્વારે(લોક દરબાર)નું તા.22/07/2024 થી તા.13/08/2024 દરમ્યાન વોર્ડવાઈઝ સવારે 09:00 થી 11:00 કલાક સુધી આયોજન કરેલ છે. આ લોક દરબારમાં નાગરિકો તરફથી રજુ થનાર રજુઆત, પ્રશ્ન અને ફરિયાદનો સ્થળ પર/ટૂંકા સમયગાળામાં હકારાત્મક નિકાલ કરવાનો ઉમદા પ્રયાસ કરવામાં આવનાર છે. જે અંતર્ગત આજ તા.29/07/2024, સોમવારના રોજ સવારે 09:00 થી 11:00 દરમ્યાન વોર્ડ નં.6માંવોર્ડ ઓફિસ, વોર્ડ નં.6-અ મયુરનગર, શક્તિ ઇન્ડસ્ટ્રીયલ ઝોન, શેરી નં.3, રાજકોટખાતે લોક દરબાર કાર્યક્રમ યોજાયો હતો.
આ લોક દરબાર કાર્યક્રમના અધ્યક્ષ મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસકપક્ષ દંડક મનિષભાઈ રાડીયા, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, વોર્ડ નં.6ના કોર્પોરેટરમંજુબેન કુગશીયા, પરેશભાઈ આર. પીપળીયા, ભાવેશભાઈ દેથરીયા, દેવુબેન જાદવ, નાયબ કમિશનર સ્વપ્નિલ ખરે, શિક્ષણ સમિતિના સભ્ય વિરમભાઇ સાંબડ, સીટી, એન્જી. પી. ડી. અઢિયા, સહાયક કમિશનર બી. એલ. કાથરોટિયા, પર્યાવરણ ઈજનેર નિલેશ પરમાર, આરોગ્ય અધિકારી ડો. જયેશ વકાણી, આર.સી.એચ.ઓ. ડો. લલિત વાજા, એંક્રોચમેન્ટ ઓફિસર પરબત બારીયા, રોશની શાખાના નાયબ કાર્યપાલક ઈજનેર નરેશ પટેલિયા, નાયબ પર્યાવરણ ઈજનેર પ્રેજેશ સોલંકી, વોર્ડ એન્જી. ભરત બોલાણીયા, મેનેજર અને પી.એસ.ટુ મેયર વી. ડી. ઘોણીયા, વોર્ડ ઓફિસર કેતન સંચણિયા, ગાર્ડન સુપરવાઈઝર કણઝારીયાભાઈ, એ.ટી.પી. રેનીશ વાછાણી, અન્ય કર્મચારીઓ, વોર્ડ નં.6ના પ્રભારી રસિકભાઈ પટેલ,પ્રમુખ અંકીતભાઈ, મહામંત્રી અનિલભાઈ ચૌહાણ અને હરેશભાઈ ધંધુકિયાતથા શહેર ભાજપ યુવા મોરચા મહામંત્રી મિલન લીંબાસીયા, વોર્ડના આગેવાનો ઘનશ્યામભાઈ કુંગશીયા, મનસુખભાઈ જાદવ અનેવોર્ડ નં.6ના નાગરીકોબહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ લોક દરબાર કાર્યક્રમમાં વોર્ડ નં.6ના નાગરિકો દ્વારા વિવિધ શાખાની કુલ-39 રજુઆતો/પ્રશ્નો રજુ કરવામાં આવી હતી, આ રજુઆતો/પ્રશ્નોનો ટૂંકા સમયગાળામાં નિકાલ કરવામાં આવનાર છે.લોક દરબારમાં રાજકોટ મહાનગરપાલિકાના જુદા જુદા વિભાગ વાઈઝ રજુ થયેલા પ્રશ્નોમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ-2, વેરા વસુલાત-1, ટી.પી.-3, દબાણ હટાવ-3, આવાસ-2, રોશની-1, બાંધકામ-વો.વ.-ડ્રેનેજ-23, આરોગ્ય-2, ગાર્ડન-2 મળીને કુલ-39 ફરિયાદો રજુ કરાઇ હતી.
આવતીકાલ તા.30/07/2024, મંગળવારના રોજ સવારે 09:00 થી 11:00 દરમ્યાન વોર્ડ નં.7માં કિશોરસિંહજી પ્રાથમિક શાળા નં.1, કોઠારીયા નાકા પાસે, રાજકોટ ખાતે મેયર તમારા દ્વારે (લોક દરબાર) કાર્યક્રમ યોજાશે.