માગ્યા મોત ન મળે!; પરિણીતા ફાંસો ખાઇ આપઘાત કરે તે પૂર્વે ચૂંદડી તૂટતા જીવ બચી ગયો
‘માંગ્યા મોત ન મળે’ તે પંક્તિને સાર્થક કરતી ઘટના સામે આવી છે. જેમાં નાના મવા મેઇન રોડ ઉપર આવેલા દેવનગરમાં રહેતી પરિણીતાએ ગુસ્સામાં ગળેફાંસો ખાઈ આપઘાત કરે તે પૂર્વે જ ચુંદડી તૂટી જતા પરણીતા નીચે પટકાય હતી. પરિણીતાને સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ નાના મવા મેઇન રોડ ઉપર આવેલા દેવનગરમાં રહેતી જાગૃતિબેન મહેશભાઈ વાઘેલા નામની 28 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી ત્યારે સાંજના સાતેક વાગ્યાના અરસામાં પંખામાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તે દરમિયાન ચુંદડી તૂટી જતા જાગૃતિબેન વાઘેલા નીચે પટકાઈ હતી. પરણિતાને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
પ્રાથમિક પૂછપરછમાં જાગૃતિબેન વાઘેલાના સાત વર્ષ પૂર્વે લગ્ન થયા છે. અને તેણીને સંતાનમાં એક પુત્રી છે. જાગૃતીબેન વાઘેલાનો પતિ મહેશ વાઘેલા બહાર ગયો હતો તે દરમિયાન જાગૃતિબેન વાઘેલાએ ગુસ્સામાં ગળેફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તે દરમિયાન તૂટી જતા નીચે પટકાઈ હતી. પતિ ઘરે આવતા બેશુદ્ધ હાલતમાં પડેલી પત્નીને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. આ બનાવ અંગે માલવીયાનગર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.