For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી બનશે વધુ સરળ: સરકારે ફાળવ્યા 6 નવા સબ-રજીસ્ટ્રાર

05:54 PM Dec 04, 2025 IST | Bhumika
રાજકોટમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી બનશે વધુ સરળ  સરકારે ફાળવ્યા 6 નવા સબ રજીસ્ટ્રાર

રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા દસ્તાવેજ નોંધણી અને અન્ય મહેસૂલી કામગીરીને વેગવંતી બનાવવા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Advertisement

રાજ્ય સરકાર દ્વારા રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં સબ-રજીસ્ટ્રારની મોટાપાયે ફાળવણી કરવામાં આવી છે. આ નિર્ણય અંતર્ગત રાજ્યના જુદા જુદા 95 જેટલા જિલ્લા અને વિસ્તારોમાં નવા અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે.

રાજકોટને મળ્યા નવા અધિકારીઓ આ ફાળવણીનો સીધો લાભ રાજકોટને પણ મળ્યો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રાજકોટ શહેરમાં હાલ કુલ 8 (આઠ) સબ-રજીસ્ટ્રાર કચેરીઓ કાર્યરત છે. સરકારના આ નવા આદેશ અન્વયે રાજકોટને 6 (છ) જેટલા નવા સબ-રજીસ્ટ્રાર ફાળવવામાં આવ્યા છે. કામગીરી પર શું અસર થશે? અત્યાર સુધી અધિકારીઓની ઘટ અથવા કામના ભારણને કારણે દસ્તાવેજ નોંધણીમાં ક્યારેક વિલંબ થતો હતો.

Advertisement

પરંતુ હવે નવા 6 અધિકારીઓ ઉમેરાતા, એક કચેરી દીઠ બે સબ-રજીસ્ટ્રાર ઉપલબ્ધ રહે તેવી વ્યવસ્થા ગોઠવાઈ રહી છે. જેના કારણે અરજદારોનો સમય બચશે અને કામગીરી ઝડપી બનશે.મળતી વિગતો મુજબ, નવનિયુક્ત સબ-રજીસ્ટ્રારો આગામી બે દિવસની અંદર પોત-પોતાની કચેરીમાં હાજર થઈ વિધિવત રીતે ચાર્જ સંભાળી લેશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement