સૌરાષ્ટ્રભરના દેવસ્થાનો-ટુરીસ્ટ સ્થળોએ દિવાળીની રજાઓમાં હકડેઠઠ મેદની
01:32 PM Oct 27, 2025 IST
|
admin
Advertisement
દ્વારકા-સોમનાથ-વિરપુર-સાળંગપુર-ગીરમાં લાખો સહેલાણીઓ ઉમટયાં
Advertisement
સૌરાષ્ટ્રમાં આવેલા દેવસ્થાનો અને પ્રવાસન સ્થળોએ દિવાળીની રજાઓની ભીડ ઉમટી પડી હતી. સૌરાષ્ટ્રમાં આવેલા સોમનાથ, દ્વારકા, વિરપુર, સાળંગપુર, સાસણગીમાં સહેલાણીઓનો જનસમુહ છલકાયો હતો. લાભ પાંચમના દિવસે રવિવાર હોય લોકોએ શનિ-રવિની રજાએ વેપાર ધંધા શરૂ કરવાના બદલે રજાની મજા માણી હતી. જુનાગઢના સક્ક્કરબાગમાં રેકોર્ડબ્રેક પ્રવાસીઓ ઉમટી પડયા હતા. ખોડલધામમાં પણ હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડયા હતા. મંદિરો, પ્રાણી સંગ્રહાલયમાં પણ રેકોર્ડબ્રેક આવક થઇ હતી.
Next Article
Advertisement