For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પંચાયતનગરમાં જીવાતવાળા પાણી વિતરણથી દેકારો, રોગચાળાનો ભય

04:52 PM May 07, 2025 IST | Bhumika
પંચાયતનગરમાં જીવાતવાળા પાણી વિતરણથી દેકારો  રોગચાળાનો ભય

ડીઆઈ પાઈપલાઈનમાંથી નળ જોડાણો આપવાનું શરૂ થતાં જ ડહોળુ પાણી અને ગંદા પાણીની ફરિયાદો ઉઠવા પામી છે. જેમાં યુનિવર્સિટી રોડ ઉપર પંચાયતનગર સોસાયટીમાં જીવાતવાળુ પાણી આવતુ હોવાથી આ વિસ્તારમાં પાણીજન્ય રોગચાળો વકરવાની ફરિયાદ સાથે સ્થાનિકોએ સિવિક સેન્ટર અને ડેપ્યુટી કમિશનરને ફરિયાદ કરી હતી.

Advertisement

યુનિવર્સિટી રોડ ઉપર આવેલ પંચાયતનગરમાં જીવડા,પોરા વાળુ પામી આવતા દેકારો બોલી ગયો હતો અને આ મુદ્દે ડે. કમિશનરને રજૂઆત કરી જણાવેલ કે, રાજકોટ મહાનગર પાલિકા ના ભાજપી સત્તાધીશો મહિનાઓથી ગંદુ દુર્ગંધયુક્ત ગટર ના પાણી ભળેલું પાણી વિતરણ કરતા હતા, પરિણામે ઝાડા ઉલટી કોલેરા જેવા પાણીજન્ય રોગો ખુબ વકર્યા અને પંદરસો રૂૂપિયા પાણી વેરો ભરતા રાજકોટ ના લોકો માંદા પડયા.

પરંતુ આટલુ ઓછું હોય તેમ ભાજપ વાળા એ હવે જીવડા પોરા વાળું પાણી વિતરણ કરવાનું શરૂૂ કર્યું છે, આવું પાણી લોહી મા ભળે એટલે માણસ કોઈ ગંભીર બીમારી નો ભોગ બની મૃત્યુ પામે..... એકાદ વર્ષ થી એવો એકપણ દિવસ નહિ હોય જ્યારે રાજકોટ ના કોઈને કોઈ વિસ્તાર મા દુર્ગંધ વાળું ડહોળું ગંદુ પાણી વિતરણ થયા ના સમાચાર અખબાર મા પ્રકાશિત ન થયા હોય હજી દોઢ બે મહિના પહેલા વોર્ડ નંબર 10 મા પંચાયત નગર સોસાયટી, શારદા નગર સોસાયટી, વિમલ નગર, ગુલમહોર પાર્ક, શિવશકિત કોલોની, શિલ્પન વિલા , વોર્ડ નંબર 12 મા ઉદય નગર, લક્ષ્મીનગર, કાલાવડ રોડ પર સ્વામિનારાયણ મંદિર પાછળ આવેલ સહકાર નગર સોસાયટી, વોર્ડ નંબર 7 મા સર્વેશ્વર ચોક વગેરે જેવા અનેક વિસ્તારો મા ગંદુ દુર્ગંધયુક્ત પાણી આવતુ હોવાની વ્યાપક પ્રમાણ મા ફરિયાદો ઉઠી હતી..

Advertisement

ટી આર પી ગેમઝોન મા લાગેલી ભાજપ ના ભ્રષ્ટાચાર ની આગ મા સળગાવી ને માર્યા, ઇન્દિરા સર્કલે સિગ્નલ પર ઊભા હતા ત્યાં સિટી બસ હડફેટે કચડી ને માર્યા દોઢસો ફૂટ રીંગ રોડ પર બિગ બઝાર ની સામે એટલાન્ટિસ બિલ્ડિંગ મા ફાયર સેફ્ટી ના અભાવે ત્રણ ગરીબો ના કરૂૂણ મોત નીપજ્યા, રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે રાજકોટ મહાનગરપાલિકા એ ખોદેલા ખુલ્લા ખાડા મા પડતા એક યુવક નો જીવ ગયો છતા આ રાક્ષસો ધરાયા નથી લાગતા, હવે શું આ રાજકોટ મનપા ના આવડત વગર ના ભાજપી સત્તાધીશો ગંદુ ડહોળું પોરા વાળું પાણી પીવડાવી, લોકો ને બીમાર પાડી મારી નાખવા માંગે છે ?? તેમ જણાવ્યું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement