For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભુજથી રાજકોટ માટે ચાર મહિના પહેલાં ટ્રેનની જાહેરાત છતાં રેલવેએ આંતરિક આંટીઘૂંટીમાં ‘ટ્રેન’ અટકાવી!

12:09 PM Jan 22, 2025 IST | Bhumika
ભુજથી રાજકોટ માટે ચાર મહિના પહેલાં ટ્રેનની જાહેરાત છતાં રેલવેએ આંતરિક આંટીઘૂંટીમાં ‘ટ્રેન’ અટકાવી

સરકારી યોજનામાં કચ્છ-સૌરાષ્ટ્રને એક ગણવામાં આવે છે પણ આજની તારીખે રેલવેનો વિકાસ અહીં પહોંચ્યો નથી કારણકે બંને પ્રદેશો વચ્ચે રેલ સેવા જ નથી.ચાર મહિના અગાઉ ભુજ-રાજકોટ વચ્ચે રેલની જાહેરાત થઈ હતી પણ રેલવેએ આંતરિક આંટીઘૂંટીમાં ટ્રેન સેવાને અટકાવી દીધી છે.

Advertisement

મળતી વિગતો મુજબ, ભૂતકાળમાં વર્ષ 2003ની આસપાસ ભુજ રાજકોટ વચ્ચે આનંદ એક્સપ્રેસ દોડતી હતી.જોકે પ્રવાસીઓ ન મળતા હોવાનું કારણ આગળ ધરીને રેલવે દ્વારા એકાદ વર્ષમાં જ આ સેવા સમાપ્ત કરી દેવાઈ હતી.અઢળક રજૂઆતો બાદ બે દાયકા પછી ભુજ-રાજકોટ વચ્ચે રેલ સેવા શરૂૂ કરવા બાબતે રેલવે બોર્ડ દ્વારા પ્રસ્તાવિત શિડ્યુલ જાહેર કરાયું હતું.ભુજ-અમદાવાદ વચ્ચે દેશની પ્રથમ નમો ભારત રેપીડ રેલ ચાલુ થઈ તે પૂર્વે ભુજ-ગાંધીનગર વચ્ચે ઇન્ટરસિટી ચાલુ હતી.

રેલવે બોર્ડ દ્વારા ઓગસ્ટ મહિનામાં પ્રસ્તાવિત શિડ્યુલ અપાયા બાદ અમદાવાદ ડિવિઝનલ કચેરીએથી પ્રપોઝલ મુકાયું અને પશ્ચિમ રેલવેની મુંબઈના ચર્ચગેટ સ્થિત વડીકચેરી દ્વારા આ બાબતે ખાતાકીય પત્ર લખી ભુજ-રાજકોટ વચ્ચે સ્પેશિયલ ભાડા સાથે ટ્રેન દોડાવવા જણાવ્યું હતું. જેમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે, ભુજ-ગાંધીનગર ઇન્ટરસિટી બંધ થયા બાદ આ રેક ભુજ-રાજકોટ વચ્ચે દોડાવવામાં આવે.

Advertisement

ભુજથી સવારે 6.50 કલાકે ટ્રેન ઉપડી બપોરે 1.35 કલાકે રાજકોટ પહોંચી અને રાજકોટથી બપોરે 2.35 કલાકે ઉપડી 21:40 કલાકે ભુજ આવે તે રીતે વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

પ્રસ્તાવિત શિડ્યુલ સામે આવતા લોકોમાં ખુશી ફેલાઈ હતી.જોકે ચાર-ચાર મહિના થવા છતાં આ ટ્રેન સેવા શરૂૂ કરવા બાબતે કોઈ ગતિવિધિ હાથ ધરાઈ નથી અને ભુજ-ગાંધીનગર ઇન્ટરસિટીના રેક પણ અન્ય ટ્રેનોમાં ફાળવી ગુમ કરી દેવાયા છે.જેથી નવી સેવા મળવાને બદલે હયાત સુવિધા છીનવાઈ હોવાનો વસવસો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement