નવા ઇન્ટરનેશનલ એરપોર્ટને નરસિંહ મહેતા નામ આપવા માગણી
05:12 PM Feb 13, 2025 IST | Bhumika
રાજકોટની ભાગોળે બનેલા નવા ઇન્ટરનેશનલ એરપોર્ટને કવિ ‘નરસિંહ મહેતા’ નામ આપવા માંગણી કરવામાં આવી છે.
Advertisement
અખિલ ભારતીય નાગર પરિષદ દ્રારા આજે રાજકોટના આંતરરાષ્ટ્રીય હવાઈમથકને આધ્ય કવિ નરસિંક મહેતાનું નામકરણ કરવામાં આવે એવી માંગણી સાથે કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.
આજે અખિલ ભારતીય નાગર પરિષદના આગેવાનો દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. રાજકોટના હિરાસર ખાતે આવેલ ઇન્ટરનેશનલ એરપોર્ટનું નામ નરસિંહ મહેતા ઇન્ટરનેશનલ એરપોર્ટ રાખવામાં આવે તેવી માંગ સાથે અખિલ ભારતીય નાગર પરિષદના આગેવાનોએ આજે કલેકટર પાડવ્યું હતુ. અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં જુનુ એરપોર્ટ બંધ કરી અમદાવાદ હાઇવે પર હિરાસર પાસે આદ્યુનિક ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવામાં આવ્યુ છે. તેનુ નામ કરણ હજૂ બાકી છે.
Advertisement
Advertisement