For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

માવઠાને કારણે થયેલા પાકના નુકસાન માટે ભાગિયા મજૂરોને વળતર આપવા માંગ

05:32 PM Dec 09, 2025 IST | Bhumika
માવઠાને કારણે થયેલા પાકના નુકસાન માટે ભાગિયા મજૂરોને વળતર આપવા માંગ

આદિવાસી પરિવાર રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના આદિવાસી વિસ્તારોમાં આદિવાસીઓના અધિકારોને લાગુ કરવા માટે કાર્ય કરી રહ્યું છે. આ આદિવાસી વિસ્તારોમાંથી હજારો આદિવાસી પરિવારો પોતાનું ગુજરાન ચલાવવા માટે ભાગિયા મજૂર તરીકે કામ કરવા માટે ગુજરાતમાં આવી રહ્યા છે. તેઓ વિવિધ પ્રકારના અન્યાય, જુલમ અને શોષણનો ભોગ બની રહ્યા છે.

Advertisement

આ વર્ષે કમોસમી વરસાદને કારણે પાકને નુકશાન થયેલ હતું. ભાગીયા મજુરોને પણ ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો. ત્યારે આદિવાસી પરિવાર મજુર સંઘે કલેકટરને આવેદન પાઠવી વળતર ચુકવવાની માંગ કરી હતી. આદિવાસી પરિવારની માંગ છે કે અતિવૃષ્ટિને કારણે થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે ભાગિયા મજૂરોનો સર્વે કરવામાં આવે અને થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવે. રાજ્ય સરકારે તાજેતરના અતિવૃષ્ટિને કારણે થયેલા નુકસાનનો સર્વે કર્યા પછી ખેડૂતોને 10,000 કરોડ રૂૂપિયાનું રાહત પેકેજ જારી કર્યું છે અને ખેડૂતોને વળતર ચૂકવવાની યોજના બનાવી રહી છે. જે લોકો ખેતરોમાં કામ કરે છે અને પાક ઉગાડે છે.

તેઓ ભાગિયા મજૂર છે. જેમને આનો લાભ નહીં મળે તેઓને નુકસાન થયું છે. ભાગિયા મજૂરોએ જ પાક ઉગાડ્યો છે. તેમજ ખેડૂતો દ્વારા ભાગિયા મજૂરોને બાકી લોન આપવામાં આવે છે. લોનના બદલામાં, ભાગિયા મજૂરોને ખેડૂતોના ખેતરોમાં દિવસ-રાત કામ કરવાની ફરજ પાડવામાં આવે છે. નાની નાની બાબતોમાં દુર્વ્યવહાર અને હિંસા સામાન્ય છે. ભાગિયા મજૂરોને વર્ષના અંતે તેમના વેતનના ચોથા અથવા કેટલીક જગ્યાએ પાંચમા હિસ્સામાંથી ચૂકવણી કરવા આવી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement