ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

જામનગરમાં કોંગો ફીવરથી મૃત્યુ : આરોગ્ય તંત્ર એલર્ટ

01:24 PM Jan 28, 2025 IST | Bhumika
Advertisement

પંચેશ્વર ટાવર વિસ્તારમાં રહેતા આધેડનું મોત, પુણેથી આવ્યો પોઝિટિવ રિપોર્ટ

Advertisement

જામનગર શહેરમાં કોંગો ફીવરનો એક કેસ સામે આવ્યો છે. શહેરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં રહેતા એક આધેડ વયના વ્યક્તિનું ગત સપ્તાહે મૃત્યુ થયું હતું. તેમના નમૂનાઓ પુણે મોકલવામાં આવ્યા હતા અને હાલમાં જ આવેલા રિપોર્ટમાં તેઓ કોંગો ફીવરથી સંક્રમિત હોવાનું જણાયું છે. આ મામલો સામે આવતાં જ આરોગ્ય તંત્ર દોડતું થયું છે અને સંક્રમિત વિસ્તારમાં સેનિટાઇઝેશનની કામગીરી શરૂૂ કરવામાં આવી છે. આ સાથે જ, સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવેલા લોકોને તપાસવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.

કોંગો ફીવર એક પ્રકારનો વાયરલ રોગ છે જે કીટ ના કરડવાથી ફેલાય છે. આ રોગના લક્ષણોમાં તાવ, માથાનો દુખાવો, ઉલટી, ઝાડા અને શરીરમાં દુખાવોનો સમાવેશ થાય છે. કેટલાક કિસ્સામાં આ રોગ જીવલેણ પણ સાબિત થઈ શકે છે.

જામનગરમાં કોંગો ફીવરનો કેસ સામે આવતાં આરોગ્ય વિભાગે લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે.
લોકોને કીટ ના કરડવાથી બચવા માટે લાંબા બાંયના કપડા પહેરવા, જંગલમાં જતી વખતે સાવચેતી રાખવા અને કીટ ના કરડવા પર તરત જ ડોક્ટરને બતાવવાની સલાહ આપવામાં આવી છે. આ સાથે જ, આરોગ્ય વિભાગે આ વિસ્તારમાં ફેલાયેલા કીટ નો નાશ કરવા માટે પણ કામગીરી શરૂૂ કરી છે.

Tags :
congo feverdeathgujaratgujarat newsjamnagarjamnagar news
Advertisement
Next Article
Advertisement