ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ગિરનાર પર પ્રતિમા ખંડિત થવાના ઘેરા પડઘા, હરિયાણામાં સંતોની બેઠક

01:28 PM Oct 09, 2025 IST | Bhumika
Advertisement

જૂનાગઢના પવિત્ર ગિરનાર પર્વત પર 5,500 પગથિયે આવેલા ગુરુ ગોરક્ષનાથની પ્રતિમા ખંડિત થવાની ચોંકાવનારી ઘટનાના ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. આ કૃત્યને કારણે સાધુ-સંતો અને સનાતનીઓમાં ભારે રોષ વ્યાપી ગયો છે.

Advertisement

ગિરનારની આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને હરિયાણામાં નાથ સંપ્રદાયના સંતોની એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજસ્થાનના ખકઅ યોગી બાલકનાથ બાપુ સહિત દેશભરના અગ્રણી સંતો હાજર રહ્યા હતા.

સંતોએ સર્વસંમતિથી આ ધર્મભ્રષ્ટ કૃત્યની સખત શબ્દોમાં નિંદા કરી હતી અને પ્રતિમા ખંડિત કરવાની ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસ કરવામાં આવે તેવી માગણી કરી હતી. હરિયાણાની આ બેઠકમાં ઉપસ્થિત સંતોએ ભારપૂર્વક આક્રોશ વ્યક્ત કર્યો હતો અને જવાબદારો સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી.

આ મામલે એકલધામના મહંત યોગી દેવનાથ બાપુએ આ ઘટનાને સનાતન વિરોધી કૃત્ય ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આ ઘટના ગિરનારની શાંતિ ડહોળવાનો પ્રયાસ છે અને જૂનાગઢ પ્રશાસને તાત્કાલિક જાગીને આરોપીઓની જલદી ધરપકડ કરવી જોઈએ.

Tags :
GirnarGirnar newsgujaratgujarat newsJunagadhJunagadh NEWS
Advertisement
Next Article
Advertisement