For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અકસ્માત મૃત્યુ કેસમાં મૃતક યુવકના પરિવારનું રૂા.80 લાખનું વળતર મંજૂર કરતી અદાલત

04:38 PM May 06, 2025 IST | Bhumika
અકસ્માત મૃત્યુ કેસમાં મૃતક યુવકના પરિવારનું રૂા 80 લાખનું વળતર મંજૂર કરતી અદાલત

અકસ્માત મૃત્યુ કેસમાં અદાલતે લક્ઝરી બસની વીમા કંપનીએ મૃતકના વારસદારોને વ્યાસ સહિત રૂૂ.80 લાખનું વળતર એક માસમાં ચૂકવી આપવા કોર્ટે હુકમ કર્યો છે.

Advertisement

આ કેસની હકીકત મુજબ બોટાદ જીલ્લાના પીપળીયા ગામના મહેન્દ્રભાઇ હેબતસંગભાઈ બારડ નામનો યુવાન ગત તા: 21-12-2019 ના રોજ નરપતસિંહના બાઇક પાછળ બેસી જઈ રહ્યો હતો. ત્યારે સાયલના ફુલગ્રામ પાસે પહોંચતા સામેથી આવતી જી.જે.- 1-ઇ.ટી.-7765 નંબરની લકઝરી બસ ચાલકે બાઇકને ઠોકરે ચડકવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં મહેન્દ્રભાઇને માથામાં ગંભીર ઇજા પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું.

મૃતક મહેન્દ્રભાઇ બારડ થોરીયાળીના ઘનશ્યામભાઈ મસાણીના મીરા એન્ટરપ્રાઇઝમાં નોકરી કરતા હતા અને તેમનો માસિક પગાર રૂૂ.21,800 હતો અને જે પગારની રકમ ઘનશ્યામભાઈ મસાણી બેંકખાતામાં ચુકવતા હતા. મહેન્દ્રભાઇ બારડનુ અકાળે મોત નિપજતા તેમના વારસદારો વળતર મેળવવા રાજકોટ ખાતે ક્લેઇમ કેસ દાખલ કર્યો હતો.

Advertisement

મહેન્દ્રભાઈ બારડના વારસદારોના વકીલ તરફથી મુળીના ટીકર ગામના મીરા એન્ટરપ્રાઇઝના માલીક તરફથી જુબાની આપવા માટે ઓર્થોરાઇઝડ વ્યક્તિ દશરથસિંહ બનેસીંગ કાછેલાને તપાસવામાં આવ્યા હતા અને તેમણે મૃતકને માસીક પગાર રૂૂા.ર1,800 પગાર આપતા હોવાની અને બેંકમાં જમા કરાવતા હોવાની જુબાની આપી બેંકનુ સ્ટેટમેન્ટ પણ મીરાએન્ટરપ્રાઇઝ તરફથી રજુ કરવામાં આવ્યું હતું. જેને ધ્યાને લઈ રાજકોટના એડીશ્નલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ એસ.વી. શર્માએ માસિક રૂૂ.21,800 આવક માની અને મૃતકના નાના ભાઈ કાંઈ ના કરતા હોવાથી તેને ડીપેન્ડેન્ટ ગણી માત્ર લક્ઝરી બસની વિમા કુયુ.ઘી નેશનલ ઇન્શ્યોરન્સ કા.એ મૃતક મહેન્દ્રભાઇ હેબતસંગ બારડના વારસદારોને એક માસમાં વ્યાજ સહિત રૂૂ.80 લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો છે.

આ કેસમાં મૃતક મહેન્દ્રભાઇ બારડના વારસદારો વતી રાજકોટના વકીલ શ્યામ જે. ગોહિલ, હિરેન ગોહિલ, મૃદુલા ગોહિલ, દિવ્યેશ કણજારીયા, પુનીતા વેકરીયા, અશોક કે.લુંભાણી રોકાયા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement