ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ગોંડલના જુદા-જુદા બે અકસ્માત કેસમાં મૃતકોના પરિવારનું બે કરોડનું વળતર મંજૂર કરતી કોર્ટ

01:43 PM Aug 05, 2025 IST | Bhumika
Advertisement

ગોંડલ તાલુકાના ચરખડી રહેતા અને બેરીગનુ કામકાજ તેમજ ખેતીનો વ્યવસાય કરતા પોતાનું બાઈક પર ગોંડલ જામકંડોરણા રોડ ઉપર ઉમરાળી ગામે પાસે કાર ચાલકે અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો જેમાં ચરખડીના પ્રવિણભાઈનુ અને અન્ય અકસ્માતમાં રાજેશભાઈનુ મૃત્યુ પામેલા હતાં જે અંગેનો કેસ ગોંડલ કોર્ટમાં ચાલી જતાં બે કરોડથી વધુ રકમનું વળતર મંજૂર કર્યું હતું.

Advertisement

બનાવની વિગત મુજબ ગોંડલ તાલુકાના ચરખડી ગામે રહેતા અને બેરીગનુ તેમજ ખેતીકામ કરતા પ્રવિણભાઇ છગનભાઈ વધાસીયા બાઈક પર ગોંડલ જામકંડોરણા રોડ ઉપર જતાં હતાં દરમિયાન ઉમરાળી ગામ પાસે પહોંચતાં મારૂૂતિ અર્ટીગા કારે બાઇક ચાલક ને હડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં પ્રવિણભાઇનુ મોત થયું હતું જે અંગેનો કેસ ગોંડલ કોર્ટમાં ચાલી જતાં કોર્ટેએ મૃતકનાં પરીવારજનોને વ્યાજ અને ખર્ચ સહિત 1 કરોડ 25 લાખ રૂૂપિયા વિમા કંપનીને ચૂકવવાનો ગોંડલ નામદાર મોટર એક્સીડન્ટ કલેઈમ ટ્રીબ્યુનલના જજ એચ.એમ.ત્રિવેદી સાહેબે હુકમ કર્યો હતો બીજા અકસ્માત બનાવના કેસમાં પણ રાજકોટ ડિસ્ટ્રીકટ કો.ઓપ.બેન્કના કર્મચારી રાજેશભાઈ વિઠ્ઠલભાઈ ગોહેલ ના કેસમાં પણ નામદારે અરજદારના એડવોકેટ યતિશભાઈ ગોવિંદભાઈ દેસાઈ તથા મયંક પ્રવિણભાઇ ધનેશાની ધારદાર દલીલો અને ગુજરાત હાઇકોર્ટ તેમજ સુપ્રીમકોર્ટના જજમેન્ટોને ધ્યાને રાખી વ્યાજ અને ખર્ચ સહિત રૂૂપિયા 85 લાખનું વળતર ચુકવવા વિમા કંપનીને હુકમ કર્યો હતો આમ બે અકસ્માતના બનાવમાં 2 કરોડ ઉપરાંતનું વળતર મંજૂર કર્યું હતું.

Tags :
accident casegondalGondal accident casesgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement