For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સાવરકુંડલાની ગિરધરવાવ નજીક ઓવરબ્રિજના નિર્માણથી વેપારીઓની આજીવિકાને મુશ્કેલી

12:18 PM Sep 09, 2025 IST | Bhumika
સાવરકુંડલાની ગિરધરવાવ નજીક ઓવરબ્રિજના નિર્માણથી વેપારીઓની આજીવિકાને મુશ્કેલી

સાવરકુંડલા શહેરના ગિરધરવાવ ફાટક નજીક નિર્માણાધીન ઓવરબ્રિજના કારણે સ્થાનિક વેપારીઓ ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. અમરેલી-મહુવા સ્ટેટ હાઇવે પર ચાલી રહેલા આ નિર્માણ કાર્યને લીધે મુખ્ય માર્ગ બંધ કરવામાં આવ્યો છે, જેના પરિણામે વાહનવ્યવહાર બાયપાસ તરફ વાળવામાં આવ્યો છે. જોકે, સ્થાનિક વેપારીઓ માટે કોઈ વૈકલ્પિક માર્ગ કે સર્વિસ રોડની વ્યવસ્થા ઉપલબ્ધ નથી, જેના કારણે છેલ્લા ત્રણ મહિનામાં 100થી વધુ દુકાનો અને કારખાના બંધ થવાની ફરજ પડી છે.

Advertisement

સ્થાનિક વેપારી હિતેશભાઈ ભરખડાએ જણાવ્યું કે, આ નિર્માણ કાર્ય બે વર્ષ સુધી ચાલવાનું છે, જેના કારણે અમારો વ્યવસાય સંપૂર્ણપણે ખોરવાઈ જવાની ભીતિ છે. કોન્ટ્રાક્ટર દ્વારા અમારી સમસ્યાઓ પ્રત્યે કોઈ ધ્યાન આપવામાં આવતું નથી, જેનાથી અમારી મુશ્કેલીઓ વધી રહી છે. આ ગંભીર મુદ્દે સ્થાનિક વેપારીઓએ સાવરકુંડલાના ધારાસભ્ય શ્રી મહેશ કસવાળા સમક્ષ રજૂઆત કરી છે. વેપારીઓની મુખ્ય માંગણી છે કે સર્વિસ રોડની સુવિધા ઝડપથી ઉપલબ્ધ કરાવવામાં આવે, જેથી તેઓ પોતાના વ્યવસાય સ્થળે પહોંચી શકે અને તેમનો રોજગાર ચાલુ રાખી શકે. વેપારીઓએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ પર તાત્કાલિક ધ્યાન નહીં આપવામાં આવે તો તેઓ આગળના પગલાં ભરવા મજબૂર થશે. સ્થાનિક વેપારી સમુદાયે સરકાર અને સ્થાનિક વહીવટીતંત્ર પાસે આ મુદ્દે તાત્કાલિક પગલાં લેવાની અપીલ કરી છે, જેથી તેમના વ્યવસાય અને આજીવિકા બચાવી શકાય.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement