For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં કોન્ફીગ્યુરેશન એરર: નિષ્ણાંત

11:18 AM Jun 13, 2025 IST | Bhumika
દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં કોન્ફીગ્યુરેશન એરર  નિષ્ણાંત

વીડિયોના અભ્યાસ પછી ઉડ્ડયન એક્સપર્ટ જોન કોક્સનો દાવો, સ્લેટ્સ અને ફલેપ્સ યોગ્ય સ્થિતિમાં ન હોતા

Advertisement

અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ટેકઓફ કરતાની સાથે જ કેમ ક્રેશ થયું? આ પ્રશ્નોથી ઘેરાયેલું છે. હવે અમેરિકાના પ્રખ્યાત ઉડ્ડયન નિષ્ણાત જોન એમ. કોક્સે આ અંગે મોટો ખુલાસો કર્યો છે. કોક્સના મતે, વિમાનના ભાગો યોગ્ય રીતે ગોઠવાયેલા નહોતા, તેથી આ અકસ્માત થયો.એસોસિએટેડ પ્રેસ સાથે વાત કરતા, કોક્સે કહ્યું કે મેં અકસ્માત સંબંધિત જે વીડિયો જોયા છે તેમાંથી એવું લાગે છે.

કે ભાગો યોગ્ય આકાર લઈ શક્યા ન હતા, જેના કારણે વિમાન ટેકઓફ કરતાની સાથે જ ક્રેશ થયું.
વોશિંગ્ટન ડીસીના સેફ્ટી ઓપરેટિંગ સિસ્ટમના સીઈઓ કોક્સ કહે છે કે હું જે ખામી જોઈ રહ્યો છું તેમાંની એક એ છે કે જ્યારે વિમાન ટેકઓફ નો પ્રયાસ કરી રહ્યું હતું ત્યારે સ્લેટ્સ અને ફ્લેપ્સ યોગ્ય સ્થિતિમાં નહોતા. આની તપાસ થવી જોઈએ. આ સ્થિતિને કોન્ફીગ્યુરેશન એરર કહે છે.

Advertisement

કોક્સે આગળ કહ્યું અકસ્માત સમયે તમે જે ચિત્ર જોશો તેમાં પ્લેનનો આગળનો ભાગ ઉપર તરફ ઉછળતો અને પછી નીચે પડતો જોવા મળે છે. આનો અર્થ એ છે કે ટેકઓફ સમયે પ્લેન પૂરતી લિફ્ટ જનરેટ કરી શક્યું ન હતું. જોન એમ. કોક્સના મતે, સ્લેટ્સ અને ફ્લેપ્સ એવી રીતે મૂકવા જોઈએ કે પાંખો ઓછી ગતિએ વધુ લિફ્ટ જનરેટ કરી શકે.

કોક્સના નિવેદન ઉપરાંત, અમેરિકાએ કહ્યું છે કે જો અમને ભારત સરકારની સંમતિ મળે, તો અમે આ અકસ્માતના મૂળ સુધી પહોંચવા માંગીએ છીએ. યુએસ સરકારે તપાસની જવાબદારી NTSB ને સોંપી છે. NTSB દર વર્ષે લગભગ 450 આંતરરાષ્ટ્રીય તપાસ તેમજ 2,000 થી વધુ સ્થાનિક અકસ્માતોની તપાસમાં મદદ કરે છે.

ભારતમાં, વિમાન સંચાલનની જવાબદારી નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) ની છે. આવી સ્થિતિમાં, હવે DGCAપોતાના વિવેકબુદ્ધિથી વિમાન અકસ્માતની તપાસ કરશે.

બ્લેક બોક્સ અંતિમ રહસ્ય જાહેર કરશે
અકસ્માત પછી, બ્લેક બોક્સને સુરક્ષિત રાખવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બ્લેક બોક્સ દ્વારા જ અકસ્માતનું સાચું કારણ બહાર આવશે. બ્લેક બોક્સને FDR પણ કહેવામાં આવે છે. તે ફ્લાઇટનો તમામ ડેટા રેકોર્ડ કરે છે.

પક્ષી અથડાયાની પણ એક થિયરી
NDTVએ ભૂતપૂર્વ વરિષ્ઠ પાઇલટ કેપ્ટન સૌરભ ભટનાગરને ટાંકીને કહ્યું હતું કે આ અકસ્માત પહેલીવાર જોયા પછી, ખબર પડે છે કે તે અનેક પક્ષી અથડાવવાનો કેસ છે, જેમાં બંને એન્જિન પાવર ગુમાવી ચૂક્યા છે. વરિષ્ઠ પાઇલટ દાવો કરે છે કે ફ્લાઇટ સંપૂર્ણ હતી અને મારું માનવું છે કે ગિયર વધારવા પહેલાં જ વિમાન નીચે ઉતરવાનું શરૂૂ કરી દીધું હતું. તેમણે સ્વીકાર્યું કે આ ફક્ત ત્યારે જ શક્ય છે જ્યારે એન્જિન પાવર ઓછો થાય અથવા વિમાનમાં લિફ્ટ વિકસિત થવાનું બંધ થઈ જાય.તે જ સમયે, સિનિયર પાયલટ માને છે કે ફૂટેજ બતાવે છે કે ફ્લાઇટ કોઈપણ ઘટના વિના થઈ હતી. વિમાન નિયંત્રિત રીતે ઉતર્યું હતું. પાઇલટે MAYDAY કોલ કર્યો હતો. આનો સીધો અર્થ એ છે કે વિમાન ગંભીર પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું હતું. તે જ સમયે ઉડ્ડયન નિષ્ણાત સંજય લાજર પણ માને છે કે જે વિમાન અકસ્માતનો ભોગ બન્યું તે એક નવું વિમાન છે, જે ફક્ત 11 વર્ષ જૂનું છે. તેમણે કહ્યું કે જો ટેકઓફ સમયે ઘણા પક્ષીઓ વિમાન સાથે અથડાયા હોત, તો વિમાન કદાચ 6-7 મિનિટની મર્યાદાથી આગળ વધી શક્યું ન હોત.

Advertisement
Tags :
Advertisement
Advertisement