For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શરદી-ઉધરસ-તાવનો કહેર, 1446 નવા કેસ

06:04 PM Feb 05, 2024 IST | Bhumika
શરદી ઉધરસ તાવનો કહેર  1446 નવા કેસ

રાજકોટ શહેરમાં મચ્છરજન્ય રોગચાળો ઠંડી હોવા છતાં યથાવત રહ્યો છે. જેમાં ખાસ કરીને શરદી, તાવ, ઉધરસના કેસમાં ફરી વધારો નોંધાતા એક સપ્તાહમાં 1446 નવા કેસ નોંધાયા છે. આથી આરોગ્ય વિભાગની ટીમ દ્વારા 12989 ઘરોમાં પોરા નાશક કામગીરી અને 1092 ઘરોમાં ફોગીંગ કરી મચ્છરઉત્પતિ સબબ 246 આસામીઓને નોટીસ ફટકારી હતી.

Advertisement

ડેન્ગ્યુન રોગ અટકાયતીના ભાગરૂૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય 1407 પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂવલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ઘાર્મિક સ્થળ, પેટ્રોલ પં5, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંક માં 571 અને કોર્મશીયલ 246 આસામીને નોટીસ આ5વામાં આવેલ છે.

ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા રોકથામ માટે 101010નું સુત્ર અ5નાવવું. જેમાં પ્રથમ 10 : દર રવિવારે સવારે 10 વાગે 10 મિનિટ ફાળવવી. બીજા 10 : ઘરમાં તથા ઘરની આસપાસના 10 મીટરના એરીયામાં પાણી ભરેલા પાત્રો ઢાંકીને રાખવા તેમજ બિનઉ5યોગી પાણી ભરેલા પાત્રો ખાલી કરવા. ત્રીજા 10 : આ માહિતી અન્ય 10 વ્યકિતઓ સુધી 5હોંચાડવી. આમ, માત્ર 10 મિનિટ આ5ને તેમજ આ5ના 5રિવારને ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા જેવા વાહકજન્ય રોગોથી બચાવી શકાશે.

Advertisement

રોગચાળાની વિગત
મેલેરિયા 1
ડેન્ગ્યુ 17
ચિકુનગુનિયા 1
શરદી ઉધરસના કેસ 1263
સામાન્ય તાવના કેસ 173
ઝાડા ઉલટીના કેસ 256

Advertisement
Tags :
Advertisement
Advertisement