ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

CM ભૂપેન્દ્રભાઇને 26 અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને 43 નંબરનો બંગલો ફાળવાયો

01:29 PM Nov 03, 2025 IST | admin
Advertisement

ગત ઓક્ટોબર માસમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. કુલ 25 મંત્રીઓ (10 કેબિનેટ, 5 સ્વતંત્ર પ્રભાર અને 9 રાજ્યકક્ષા)એ પદભાર સંભાળ્યા બાદ હવે તેમને ગાંધીનગરના મંત્રી નિવાસ સંકુલમાં સત્તાવાર બંગલાની ફાળવણી કરવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં કેટલાક રસપ્રદ તથ્યો સામે આવ્યા છે.

Advertisement

CM ભૂપેન્દ્ર પટેલને તેમનો લકી ગણાતો 26 નંબરનો બંગલો ફાળવવામાં આવ્યો છે નવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને સંકુલના અંતિમ બંગલો નંબર 43 ફાળવવામાં આવ્યો છે. આ ઉપરાંત, પદ અને પ્રતિષ્ઠાની દૃષ્ટિએ મહત્વનું સ્થાન ધરાવતો રાજભવનની સામેનો બંગલો નંબર 12અ રીવાબા જાડેજાને રહેવા માટે ફાળવાયો છે, જ્યારે કાંતિલાલ અમૃતિયાને વિવાદિત મંત્રી બચુ ખાબડને અગાઉ ફાળવાયેલો 33 નંબરનો બંગલો મળ્યો છે. કનુભાઈ દેસાઈ: 22, ઋષિકેશ પટેલ: 21, કુંવરજી બાવળિયા: 18, જીતુભાઈ વાઘાણી: 5, નરેશ પટેલ: 20, અર્જુન મોઢવાડિયા: 12, પરસોત્તમ સોલંકી: 14 અને પ્રફુલ પાનસેરીયા: 31.ગાંધીનગરમાં મંત્રીઓના બંગલા પાછળ કેટલીક રસપ્રદ માન્યતાઓ પ્રવર્તે છે. કુલ 43 જેટલા બંગલાઓમાંથી 13 નંબરનો કોઈ બંગલો નથી, કારણ કે આ નંબર અપશુકનિયાળ માનવામાં આવે છે.

તેથી 12 નંબર પછી સીધો જ 12-અ નંબર આપવામાં આવ્યો છે. જોકે, નવા મંત્રીઓને બંગલા ફાળવી દેવાયા હોવા છતાં, હાલ અનેક બંગલામાં રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે. બીજી તરફ, મુળુભાઈ બેરા, કુંવરજી હળપતિ, રાઘવજી પટેલ અને ભીખુસિંહ પરમાર સહિતના જૂના મંત્રીઓએ હજુ સુધી બંગલા ખાલી કર્યા ન હોવાથી, નવા મંત્રીઓના નિવાસની પ્રક્રિયામાં વિલંબ થઈ રહ્યો છે.

Tags :
CM Bhupendra PatelDeputy Chief Minister Harsh Sanghvigujaratgujarat news
Advertisement
Next Article
Advertisement