શાપરની ફેકટરીમાં સર્જાયેલ દૂર્ઘટનાની ઘટના અંગે સ્પષ્ટતા
12:06 PM Jun 11, 2025 IST | Bhumika
પ્રીસિજન ટેકનોકાસ્ટને બનાવ સબંધે કોઇ સંબંધ નથી
Advertisement
ગુજરાત મિરરના ગઇકાલ તા. 11 ના અંકમાં પાના નં. 12 ઉપર બોઇલર ફાટતા ‘કારખાનેદારનું મોત, ભાગીદાર સહિત ત્રણ દાઝયા’ તેવા હેડીંગ સાથે શાપર નજીક વીરવા રોડ ઉપર ગોલ્ડન ગેઇટ નં. 1 મા આવેલ પ્રીસિજન એલોયકાસ્ટ નામના કારખાનામા સર્જાયેલ દૂર્ઘટના અંગેના સમાચાર પ્રસિધ્ધ થયા હતા.
આ સમાચારમાં શરત ચૂકથી શાપરમા જ આવેલ પ્રીસિજન ટેકનોકાસ્ટ પ્રા.લિ.ની તસવીર છપાઇ ગયેલ છે. આથી આ સ્પષ્ટતા કરવામા આવે છે કે, પ્રીસિજન એલોયકાસ્ટમા સર્જાયેલ આકસ્મિક દૂર્ઘટના સાથે પ્રીસિજન ટેકનોકાસ્ટ પ્રા.લી.ને કોઇ સબંધ નથી.
Advertisement
Advertisement