ધોરાજીમાં ગુમ થયેલા બે યુવાનોને શોધી કાઢી પરિવારને સોંપતી સિટી પોલીસ
11:57 AM Sep 29, 2025 IST
|
Bhumika
Advertisement
પરિવારજનોએ પોલીસનો માન્યો આભાર
Advertisement
ધોરાજીમાં બે અલગ અલગ બનાવમાં ગુમ થયેલા નૂરમામદભાઇ હુશેનભાઇ સંધી (રહે.ચકલા ચોક, સંઘાળીયા બજાર, ધોરાજી) અને અમાન અનિશભાઇ સંધી (રહે.રસુલપરા ધોરાજી) નામના બે યુવાનોને ટેકનીકલ અને હ્યુમન સોર્સીસની મદદથી શોધી કાઢી તેઓના પરિવારને સોપેલ છે.
રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક સિમરન ભારદ્વાજ દ્વારા ગુમ થયેલા વ્યકિતઓને શોધી કાઢવા માટે સુચના આપી હતી. જેઓના માર્ગદર્શન હેઠળ ધોરાજી સીટી પોલીસ સ્ટેશનના પો.ઇન્સ.જે.પી.ગોસાઇની રાહબરી હેઠળ ઉપરોકત બંને યુવાનોને ટેકનીકલ અને હ્યુમન સોર્સીસની મદદથી શોધી કાઢી તેઓને પરિવારને સોપી આપેલ છે.(તસ્વીર : કૌશલ સોલંકી)
Next Article
Advertisement