For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચિંતન શિબિર; ‘દાદા’ મંત્રીમંડળ સાથે વંદે ભારતમાં રવાના

05:13 PM Nov 27, 2025 IST | Bhumika
ચિંતન શિબિર  ‘દાદા’ મંત્રીમંડળ સાથે વંદે ભારતમાં રવાના

વલસાડ જિલ્લાના ધરમપુર નજીક મદ રાજચંદ્ર આશ્રમ ખાતે આજથી શરૂૂ થતી ચિંતન શિબિર માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય મંત્રીમંડળના સભ્યો તેમજ ઉચ્ચ અધિકારીઓએ વહેલી સવારે અમદાવાદ રેલવે સ્ટેશન ખાતેથી વંદે ભારત સુપરફાસ્ટ ટ્રેનમાં સામૂહિક પ્રવાસરૂૂપે પ્રસ્થાન કર્યું હતું.

Advertisement

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજ્ય વહીવટને વધુ નાગરિક કેન્દ્રિત બનાવી, તેની અસરકારકતામાં વધારો કરવાના હેતુથી વર્ષ 2003થી ચિંતન શિબિરની શરૂૂઆત કરી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે આ પરંપરાને આગળ ધપાવતા પ્રશાસનિક સમયાનુરૂૂપ ટેકનોલોજી અને પારદર્શકતા સાથે સંવેદનશીલતાની નવી દિશા આપવા આ વર્ષે સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફની થીમ સાથે ચિંતન શિબિરની 12મી કડીનું આયોજન કર્યું છે.આ શિબિરમાં સહભાગી થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળના સભ્યો તેમજ મુખ્યસચિવ મનોજ કુમાર દાસ સહિત રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ-સૌ કોઈ પોતાના સરકારી વાહનને બદલે ભારતીય રેલ સેવાની વંદે ભારત સુપરફાસ્ટ ટ્રેનમાં સહપ્રવાસી બનીને અમદાવાદથી રવાના થયા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement