જનાના હોસ્પિટલમાં ફેફસાની બીમારીથી બાળકનું મોત
04:23 PM Feb 28, 2024 IST
|
Bhumika
Advertisement
શહેરમાં રાજ્યની સૌથી મોટી જનાના હોસ્પિટલનું થોડા દિવસ પૂર્વે જ લોકાર્પણ કરાયુ છે. આ હોસ્પિટલમાં અમરેલીના પરિવારના દોઢવર્ષના પુત્રને ફેફસાની બિમારી સબબ સારવાર માટે ખસેડી હતી. જ્યાં તેમનું સારવારમાં મોત નીપજયુ હતું.
Advertisement
બનાવની વધુ વિગતો અનુસાર, અમરેલીના હાર્દીકભાઇ બડમલીયાના દોઢ વર્ષના પુત્ર વિઆનને ફેફસાની બિમારી હોય તેમને સારવાર માટે પ્રથમ ખાનગી બાદ જનાના હોસ્પિટલે ખસેડવામાં આવતા તેમનું સારવારમાં મોત નીપજ્યું હતું. વિઆન એકનો એક પુત્ર હતો તેમના પિતા જેટકોમાં નોકરી કરે છે. પુત્રના મૃત્યુથી પરિવારમાં અરેરાટી મચી ગઇ છે.
Next Article
Advertisement