For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વંદે ભારત ટ્રેન સુરત સુધી લંબાવવાની જાહેરાત રદ

12:49 PM Mar 12, 2024 IST | Bhumika
વંદે ભારત ટ્રેન સુરત સુધી લંબાવવાની જાહેરાત રદ
  • ચાર મહિના પહેલાં રેલવે મંત્રીએ જામનગર-અમદાવાદ ટ્રેન સુરત-ઉધના સુધી લંબાવવાની જાહેરાત કરી હતી, હવે ઓખા સુધી લંબાવાઇ

સૌરાષ્ટ્ર અને સુરત વચ્ચે દરરોજ હજારો મુસાફરોની આવન-જાવન રહે છે ત્યારે કેન્દ્રીય રેલવે મંત્રીએ ગત તા.14/11/2023નાં રોજ જામનગર-અમદાવાદ વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેન સુરત-ઉધના સુધી લંબાવવાની જાહેરાત કરી અને તેનુ શેડયુઅલ પણ જાહેર કરી દીધુ હતુ પરંતુ આ ટ્રેન પાટા ઉપર ચડે તે પહેલા સુરત-ઉધના સુધી વંદે ભારત ટ્રેન લંબાવવાની જાહેરાત રદ કરી દેવામાં આવી છે અને આ ટ્રેન ઓખા સુધી લંબાવવાની જાહેરાત કરી દેવામાં આવી છે.

Advertisement

જામનગર-અમદાવાદ વંદે ભારત ટ્રેન સુરત-ઉધના સુધી લંબાવવાની જાહેરાત અચાનક રદ કરાતા સૌરાષ્ટ્ર-રાજકોટમાંથી સુરત આવ-જાવ કરતા મુસાફરોને હવે એસ.ટી. અને ખાનગી બસોની જોખમ સવારીનો જ આશરો રહ્યો છે.પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ-જામનગર વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસને ઓખા સ્ટેશન સુધી લંબાવવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12મી માર્ચ, 2024ના રોજ સવારે 09:00 કલાકે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા અમદાવાદ-જામનગર વંદે ભારત એક્સપ્રેસના ઓખા સુધીના વિસ્તરણને લીલી ઝંડી દેખાડસે.

ટ્રેન નંબર 09426 ઓખા-અમદાવાદ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસની શરૂૂઆતની ઉદ્ઘાટનની ટ્રીપ ને 12 માર્ચ, 2024ના રોજ દ્વારકાથી અમદાવાદ સુધી ચલાવવામાં આવશે. ટ્રેન નંબર 22925 અમદાવાદ-ઓખા વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસનું નિયમિત સંચાલન 13 માર્ચ, 2024થી શરૂૂ કરવામાં આવશે. આ ટ્રેન મંગળવાર સિવાય દરરોજ અમદાવાદથી 18:10 કલાકે ઉપડશે, દ્વારકા તે જ દિવસે 23.54 કલાકે પહોંચી ને 23.59 કલાકે ઉપડશે અને બીજા દિવસે 00:40 કલાકે ઓખા પહોંચશે.

Advertisement

તેવી જ રીતે, રિટર્નમાં, ટ્રેન નંબર 22926 ઓખા-અમદાવાદ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસનું નિયમિત સંચાલન 14 માર્ચ, 2024 થી શરૂૂ કરવામાં આવશે. આ ટ્રેન ઓખાથી બુધવાર સિવાય દરરોજ 03:40 કલાકે ઉપડશે અને તે જ દિવસે 04.05 કલાકે દ્વારકા પહોંચી ને 04.10 કલાકે ઉપડશે અને 10:10 કલાકે અમદાવાદ પહોંચશે.આ ટ્રેન બંને દિશામાં સાબરમતી, સાણંદ, વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ, જામનગર અને દ્વારકા સ્ટેશને ઉભી રહેશે. ઉપરાંત, બંને દિશામાં જામનગર અને અમદાવાદ વચ્ચેના કોઈપણ સ્ટેશનના આગમન-પ્રસ્થાનના સમયમાં અથવા સ્ટોપેજમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ ટ્રેનમાં એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ચેર કાર કોચ હશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement