ભારત-પાકિસ્તાન યુદ્ધ વચ્ચે સીએ ફાઇનલની પરીક્ષા પાછી ઠેલાઇ
આજથી 6 દિવસ યોજાનારી સીએ ફાઇનલ ઇન્ટરમીડિએટ અને પોસ્ટ કવોલિફિકેશનની પરીક્ષાઓ હાલ પુરતી રદ
ભારત-પાકિસ્તાન સરહદે યુદ્ધ જેવી પરિસ્થિતિનુ નિર્માણ થતા ઇન્સ્ટીટયુટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડીયા દ્વારા લેવાનારી પરીક્ષાઓ મોડી રાત્રે રદ કરીને નવી તારીખે લેવાવાની જાહેરાત કરવામા આવી છે.
તા. 9 મે થી 14 મે વચ્ચે અગાઉ સીએ ફાઇનલ, ઇન્ટરમીડીએટ અને પોસ્ટ કવોલિફિકેશન કોર્સ એકઝામીનેશનનાં અલગ અલગ પેપર લેવાવાના હતા. પરંતુ હાલની પરિસ્થિતિને અનુસંધાને મોડી રાત્રે આ પરીક્ષાઓ હાલ પુરતી સ્થગીત કરવાનો નિર્ણય કરવામા આવ્યો છે. ઇન્સ્ટીટયુટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટ ઇન્ડીયા દ્વારા જાહેર કરાયેલા નોટીફીકેશન પ્રમાણે નં.13 - સીએ (એકઝામ) 2025 ની પરીક્ષાઓ હવે દેશભરમા પાછળ ઠેલાઇ છે. આ અંગેની નવી તારીખો ટુક સમયમા જાહેર કરવામા આવશે.
અત્રે ઉલ્લખનીય છે કે અગાઉ વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ 8 જગ્યાએ પરીક્ષા કેન્દ્રો બોર્ડર જીલ્લાઓમા આવતા હોવાથી આ પરીક્ષાનાં સેન્ટર બદલવા રજુઆત કરાઇ હતી. પરંતુ હવે સમગ્ર પરીક્ષા જ પાછી ઠેલવી દેવામા આવી છે.આ અંગે વધારે વિગતો અને નવી તારીખ માટે વિદ્યાર્થીઓને સત્તાવાર વેબસાઈટ ૂૂૂ.શભફશ.જ્ઞલિ પર ચેક કરતા રહેવાનું જણાવાયું છે.