રેસકોર્સમાં આતશબાજી સાથે રાવણદહન, લોકો ગરબે ઘુમ્યા
05:41 PM Oct 03, 2025 IST | Bhumika
દશેરાના દિવસે રાજકોટ રેસકોર્સ મેદાન ખાતે વિશ્વ હિન્દુ પરીષદ દ્વારા રાવણદહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં 54 ફૂટના રાવણ, કુંભકર્ણ અને મેઘનાથના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. રાવણદહન કાર્યક્રમની રંગારંગ અને આતશબાજી સાથે ઉજવણી કરવામાં આવી હતી. કેટલાક ઉત્સવપ્રેમીઓએ ડિજેના તાલે મેદાનમાં જ ગરબાની રમઝટ બોલાવી હતી. સાંજે કાર્યક્રમ શરૂ થતા જ માનવ મેદની ઉમટી પડી હતી અને ગ્રાઉન્ડમાં જય શ્રી રામનો નાદ ગુંજી ઉઠયો હતો. (તસવીર: મુકેશ રાઠોડ)
Advertisement
Advertisement