For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા રાહુલ ગાંધીના પૂતળાનું દહન

06:21 PM Feb 12, 2024 IST | Bhumika
ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા રાહુલ ગાંધીના પૂતળાનું દહન

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની નેતાગીરીને સમગ્ર વિશ્ર્વમાં માન સન્માન મળી રહયું છે ત્યારે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ દેશના નેતા વિષે જેમ તેમ બોલવામાં તેમની માનસિકતા છતી કરવામાં આવેલ હતી. અને તેમનો સખત શબ્દોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ. આ તકે વિરોધ કરવા શહેરના કિશાનપરા ચોક ખાતે દેખાવો, સુત્રોચ્ચાર અને પુતળા દહનનો કાર્યક્રમ યોજાયો હતો. આ તકે શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી, મહામંત્રી અશ્ર્વિન મોલીયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાળા, પૂર્વ પ્રમુખ કમલેશ મીરાણી, મેયર નયનાબેન પેઢડીયા, પૂર્વ મેયર પ્રદિપ ડવ, કિરણબેન માકડીયા, બક્ષીપંચ મોરચાના લલીત વાડોલીયા, બાબુભાઇ માટીયા, જે.પી.ધામેચા સહિતનાઓ સાથે તમામ શ્રેણીના ભાઇઓ-બહેનો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement