For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દિગ્વિજય પ્લોટના કારખાનામાંથી રૂપિયા 40 હજારના પિત્તળના સળિયાની ચોરી

11:38 AM Oct 15, 2024 IST | admin
દિગ્વિજય પ્લોટના કારખાનામાંથી રૂપિયા 40 હજારના પિત્તળના સળિયાની ચોરી

સીસીટીવી કેમેરામાં બે તસ્કર મહિલા કેદ થઈ હોવાથી પોલીસ દ્વારા શોધખોળ

Advertisement

જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર 58 માં આવેલા એક બ્રાસના કારખાનામાંથી રૂૂપિયા 40 હજારની કિંમતના 80 કિલો પિતળના સળિયાની ચોરી થઈ હતી, તે સળિયા ની ચોરી કરનાર બે મહિલાઓ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. જેને પોલીસ શોધી રહી છે.

જામનગરના નંબર 58 માં રહેતા અને બ્રાસપાર્ટ નું કારખાનું ધરાવતા ભરતભાઈ વિઠ્ઠલભાઈ માંડલિયાએ પોતાના કારખાના ના ખુલ્લા પ્લોટમાં રાખેલા રૂૂપિયા 40 હજારની કિંમતના 80 કિલો પિતાના સળિયા ની ચોરી થઈ ગઈ હોવાનું પોલીસમાં જાહેર કર્યું હતું. જે બનાવ સમય કારખાનામાં લગાવેલા સીસીટીવી કેમેરામાં બે મહિલાઓ ચોરી કરીને જઈ રહી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જે મામલે સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશનના ડી. સ્ટાફ દ્વારા તપાસ શરૂૂ કરાઇ છે, અને કેટલીક શકમંદ મહિલાઓને ઉઠાવી લેવામાં આવી છે.

Advertisement

બીમારીથી મોત
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ભણગોર ગામમાં રહેતા વલ્લભભાઈ ઠાકરશીભાઈ ભીમાણી નામના 70 વર્ષના પટેલ જ્ઞાતિના બુઝુર્ગ છેલ્લા કેટલાક સમયથી બીપી તેમજ ડાયાબિટીસની બીમારીથી પીડાતા હતા, અને ગઈકાલે તેઓને શ્વાસ લેવામાં તકલીફ થયા પછી બેશુદ્ધ બન્યા હતા, અને તેઓનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર મનોજભાઈ વલ્લભભાઈ ભીમાણીએ પોલીસને જાણ કરતાં લાલપુર પોલીસે મૃતદેહ નો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement