For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બ્રાસપાર્ટના કારખાનેદારનો આર્થિક ભીસથી કંટાળી ફાંસો ખાઇ આપઘાત

12:06 PM Feb 05, 2025 IST | Bhumika
બ્રાસપાર્ટના કારખાનેદારનો આર્થિક ભીસથી કંટાળી ફાંસો ખાઇ આપઘાત

Advertisement

જામનગરમાં મયુર પાર્ક શેરી નંબર પાંચમાં રહેતા બ્રાસપાર્ટના એક કારખાનેદારે પોતાનો ધંધો બરાબર ચાલતો ન હોવાથી આર્થિક સંકળામણના કારણે ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં મયુર પાર્ક શેરી નંબર 5 ના છેડે રહેતા અને બ્રાસપાર્ટ નો વેપાર કરતા નિલેશભાઈ પ્રેમજીભાઈ ચાવડા નામના 53 વર્ષના કારખાનેદાર કે જેઓએ ગઈકાલે પોતાના ઘેર પંખા ના હુકમા સાડી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.

Advertisement

આ બનાવ અંગે મૃતકના પુત્ર બિશન નિલેશભાઈ ચાવડાએ પોલીસને જાણ કરતાં સીટી સી. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ એચ. એ. પરમાર બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી આ બનાવ અંગેની વિશેષ તપાસ હાથ ધરી હતી.
પોલીસ પૂછપરછમાં મૃતક બ્રાસ પાર્ટ નો વ્યવસાય કરતા હતા, અને છેલ્લા બે વર્ષથી તેનો ધંધો બરાબર ચાલતો ન હોવાના કારણે આર્થિક સંકટ ભોગવતા હતા. જેનાથી તંગ આવી જઇ આ પગલું ભરી લીધાનું જણાવાયું હતું. જેથી પોલીસે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement