રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કાલાવડના મોટી માટલી નજીકના અકસ્માતમાં બન્ને બાઇકચાલકનાં મોત: અંતે ગુનો નોંધાયો

12:45 PM Mar 07, 2024 IST | Bhumika
Advertisement

જામનગર જિલ્લાનાં કાલાવડ નજીક આવેલ મોટી માટલી ગામ પાસે અકસ્માતની ઘટના સામે આવી હતી..જેમાં મકરસંક્રાંતિના દીને સર્જાયેલા અકસ્માતમાં બંને વાહન ચાલકોના મૃત્યુ થયા હતા. જેના લાંબા સમય બાદ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. મહત્વનું છે કે મકરસંક્રાંતિના દિવસે બે ટુ-વ્હીલર સામસામે અથડાયા બાદ બને બાઇક ચાલકોનો સ્થળ પર જ કાળ આંબી ગયો હતો. હાલ આ અંગે પોલીસે નોંધ કરી તપાસ આગળ ધપાવી છે.

Advertisement

કેંસની વિગત એવી છે કે 14 મી જાન્યુઆરીને મકર સંક્રાંતિના તહેવારના દિવસે મોટી માટલી ગામ પાસે આશિષ દોલતાણીના સ્કૂટરને સામેથી આવતા જી જે 10 એ.એ. 9215 નંબરના બાઈકના ચાલક રામજીભાઈ નરશીભાઈ વસોયાએ અકસ્માત કર્યો હતો. જે અંગે જામનગરમાં રામેશ્વર નગર વિસ્તારમાં રહેતા સપનાબેન દિલીપભાઈ દોલતાણી નામના મહિલાએ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં પોતાના પુત્ર આશિષ દોલતાણી ના સ્કૂટરને અકસ્માત કરનાર રામજીભાઈ નરશીભાઈ વસોયા સામે ફરિયાદ કરી છે.

આશિષ અને સામેથી વાહન ચલાવીને આવી રહેલા રામજીભાઈ વસોયા બંનેના વાહનો સામ સામે અથડાઈ પડ્યા હતા, અને બંનેના મૃત્યુ નીપજ્યા હતા. જે અકસ્માતના બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ બનાવ બાબતે કાલાવડ ગ્રામ્ય ના પી.એસ.આઇ વી. એ. પરમાર વધુ તપાસ ચલાવે છે.

Tags :
gujaratgujarat newsjamnagarjamnagar news
Advertisement
Next Article
Advertisement