મોરબીના લીલાપર રોડ નજીક રામઘાટ પાસે વૃદ્ધાની લાશ મળી
12:42 PM Oct 27, 2025 IST
|
admin
Advertisement
મોરબી લીલાપર રોડ પર આવેલ સ્મશાન પાછળ રામઘાટ પાસે મચ્છુ નદીમાંથી વૃદ્ધાનો મૃતદેહ મળી આવ્યો છે આશરે 60 વર્ષીય વૃદ્ધાના મૃતદેહને ફાયરની ટીમે પાણીમાંથી બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે.
Advertisement
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના રામઘાટ પાસે લીલાપર સ્મશાન પાછળ મચ્છુ નદીમાં એક મૃતદેહ પાણીમાં તરતો હોવાની સામાજિક કાર્યકરોને જાણ થતા ફાયર ટીમને માહિતી આપી હતી જેથી ફાયર ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો મૃતક આશરે 60 વર્ષના વૃધ્ધા હોવાનું જાણવા મળ્યું છે ફાયર ટીમે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે બનાવને પગલે પોલીસ ટીમ દોડી ગઈ છે અને મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે.
Next Article
Advertisement