વિસાવદર બેઠક જીતવા ભાજપે મંત્રીઓને મેદાનમા ઉતાર્યા
પાટીદાર અને કોળી મતદારોને રીઝવવા ભાજપની નવી રણનીતી, પાટીદાર કાર્ડ ખેલાય તેવી શકયતા
ગુજરાતમાં હવે કડી અને વિસાવદર વિધાનસભા બેઠકો પર વર્ચસ્વનો જંગ જામવાનો છે. બંને વિધાનસભા બેઠકો પર 19 જૂન, 2025ના રોજ મતદાન યોજાશે અને 23 જૂને મતગણતરી કરવામાં આવશે. બંને બેઠકો પર જીત માટે હવે દરેક પક્ષ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. વિસાવદરમાં એક તરફ ગોપાલ ઇટાલિયાને આમ આદમી પાર્ટીએ મેદાનમાં ઉતાર્યા છે. તો બીજી તરફ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો જાહેર થવાના બાકી છે ત્યારે આ વિસાવદરના ગઢને જીતવા માટે હવે ભાજપે (BJP Gujarat)ં મંત્રીઓને મેદાને ઉતાર્યા છે.
વિસાવદર અને કડીમાં ભાજપે (BJP Gujarat)ં ત્રણ મંત્રીઓ જગદીશ પંચાલ, રાઘવજી પટેલ, કુંવરજી બાવળીયા અને ધારાસભ્ય હીરા સોલંકીને જવાબદારી સોંપી છે. જેના કારણે હવે વિસાવદરમાં પાટીદાર અને કોળી મતદારોને રીઝવવા અને તેમના મત મેળવવા થોડા સરળ બનશે. કારણ કે વિસાવદરમાં 50 હજારથી વધુ મતદારો પાટીદારના છે. તેના જ કારણે પણ ભાજપે (BJP Gujarat)ં ધારાસભ્ય જયેશ રાદડિયાને પ્રભારી બનાવ્યા છે અને વિસાવદરની જવાબદારી સોંપી છે.
બીજા સ્થાને કોળી મતદારો આવે છે. અને તેના માટે જ હીરા સોલંકી અને કુંવરજી બાવળિયાને મેદાને ઉતાર્યા છે. આ સાથે જ ત્રીજા સ્થાને અન્ય જ્ઞાતિઓ આવે છે.
હવે વાત રહી કોંગ્રેસની તો કોંગ્રેસ પર આ વખતે આ બેઠક પરથી કોઈ પાટીદાર ઉમેદવાર ઉતારે તેવી પૂરતી શક્યતાઓ છે. આવતીકાલથી વિસાવદરમાં ભાજપ પ્રચારની શરૂૂઆત કરશે. એટલે કડી બેઠક તો SCમાટે અનામત છે. તો ત્યાં તો SCઉમેદવાર જ મેદાને ઉતારવામાં આવશે. આ વખતે વિસાવદરમાં પાટીદાર મતદાર વધુ હોવાના કારણે હવે ત્યાં પાટીદાર કાર્ડ ખેલાશે તેવી હાલ ચર્ચાઓ છે. અને અત્યારનું ગણિત પણ એજ કહી રહ્યું છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે ભાજપ અને કોંગ્રેસ આ બેઠક પર કોને ઉતારે છે.
શંકરસિંહ વાઘેલા ઉમેદવારો ઉભા રાખી કોનો ખેલ બગાડશે ?
જો કે રાજકીય રસાકસી વચ્ચે ફરી એકવાર શંકરસિંહ વાઘેલાએ એન્ટ્રી લીધી છે. શંકરસિંહ વાઘેલાએ પોતાની પ્રજાશક્તિ ડેમોક્રેટીક પાર્ટીની જાહેરાત બાદ પહેલીવાર ચૂંટણીમાં ઉતરી રહ્યા છે. શંકરસિંહ વાઘેલાએ જાહેરાત કરી હતી. મારી પાર્ટી પ્રજાશક્તિ ડેમોક્રેટીક પાર્ટી વિસાવદર અને કડી બંન્ને બેઠકો પરથી ચૂંટણી લડશે તેવી જાહેરાત કરી દીધી હતી. શંકરસિંહ વાઘેલાની પ્રજાશક્તિ ડેમોક્રેટીક પાર્ટી ચૂંટણી લડશે. અમદાવાદ કાર્યાલયથી જાહેરાત કરતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે, 31 મે, 2025 નાં દિવસે બંન્ને બેઠકો પરથી અમારા બંન્ને ઉમેદવારોના નામની પણ જાહેરાત કરવામાં આવશે. ત્યાર બાદ બંન્ને ઉમેદવારો ફોર્મ ભરવા માટે જશે . બાપુ ઉમેદવારો ઉભા રાખી કોનો ખેલ બગાડશે ? તે જોવાનુ રહયું.