For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નવરાત્રીને લઈને રાજ્ય સરકારનો મોટો નિર્ણય, ખેલૈયાઓ 12 વાગ્યા બાદ પણ રમી શકશે ગરબા

02:37 PM Sep 28, 2024 IST | Bhumika
નવરાત્રીને લઈને રાજ્ય સરકારનો મોટો નિર્ણય  ખેલૈયાઓ 12 વાગ્યા બાદ પણ રમી શકશે ગરબા
Advertisement

ગુજરાતમાં ચાલુ વર્ષે આકરી શરતો અને આકરા નિયમોથી ગરબા આયોજકો અકળાયા છે પરંતુ ખેલૈયાઓ માટે રાજય સરકારે મેદાન ખુલ્લુ મુકી દીધું હોય તેમ વહેલી સવાર સુધી ગરબે રમવાની છુટ આપી દીધી છે. સાથો સાથ ખાણી-પીણીના ધંધાર્થીઓને પણ રાતભર ધંધો કરવાની છુટ આપી છે. રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડીયા ઉપર વીડીયો મુકીને આ અંગે જાહેરાત કરી હતી. જો કે તેમણે ઉત્સાહના આનંદમાં અન્ય લોકો હેરાન થાય નહીં તે જોવા પણ અપીલ કરે છે.

નવરાત્રિને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. 3 ઓક્ટોબર ગુરૂૂવારથી શારદિય નવરાત્રિનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે સરકારે ખેલૈયા, ગરબા આયોજકો અને ખાણી પીણીના વેપારીઓના હિતમાં એક મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે આ વર્ષ નિયમોના પાલન સાથે રાત્રે 12 વાગ્યા પછી પણ ગરબે રમી શકાશે. તેમણે કહ્યું કે, લાઉડ સ્પીકર બંધ કરીને 12 વાગ્યા બાદ પણ ગરબાનું આયોજન ચાલુ રાખી શકાશે. તેમણે કહ્યું કે, નિયમોનું પાલન કરો અને મોડે સુધી રમો ગરબા, આયોજકોએ સરકારના આ નિર્ણયને આવકાર્યો છે. ખેલૈયાઓ-નાના વેપારીઓ માટે સૌથી મોટા રાહતના સમાચાર છે. આ વર્ષે નિયમોના પાલન સાથે મોડે સુધી રમી ગરબે રમી શકાશે.

Advertisement

રાજ્ય સરકારની ગાઇડલાઇન મુજબ લાઉડ સ્પીકર બંધ કરીને મોડે સુધી ગરબા ચાલુ રાખવાની આ વર્ષે છૂટ અપાઇ છે. તેથી આ વર્ષે મોડી રાત્રે સુધી ગરબાની રમઝટ બાદ લોકો નાઇટ લાઇફને માણતા ખાણી પીણીની મજા માણી શકશે. ખાણી પીણીના વેપારી, ગરબાનો આયોજકો અને ખેલૈયાઓએ રાજ્ય સરકારના આ નિર્ણયને આવકાર્યો છે.

આ અંગેની જાહેરાત કરતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે,ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં નવરાત્રિના પાવન અવસર પર સૌ ખેલૈયાઓ મૉં અંબાની ભક્તિ અને શક્તિમાં રંગાઈ શકે અને મોડીરાત સુધી ગરબા કરી શકે સાથે સાથે નાના વેપારીઓ, ફેરીયાઓ, રોજમદારો વેપાર કરી શકે તેવી પણ ચિંતા ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવતી હોય છે. આ વર્ષે પણ આ બધા જ વેપારી મિત્રો સારી રીતે ધંધો રોજગાર કરી શકે અને રાજ્યના નાગરિકો ઉત્સાહપૂર્વક નવરાત્રી મનાવી શકે તે માટે પોલીસ તંત્રને ખાસ સુચના આપવામાં આવી છે.સાથે સાથે ખેલૈયાઓ અને આયોજકોને પણ ખાસ વિનંતી છે કે મ્યુઝિક અને ડીજેના કારણે અન્ય નાગરિકો હેરાન ન થાય એ રીતે તેનો ઉપયોગ કરવામાં આવશે તેઓ મને પૂર્ણ વિશ્વાસ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement