ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ભાવનગરની વડાપ્રધાનની સભાએ બે મંત્રી પદ અપાવ્યા

04:27 PM Oct 17, 2025 IST | Bhumika
Advertisement

મંત્રી મંડળમાં પરસોત્તમ સોલંકી રીપીટ અને જીતુ વાઘાણીની રી-એન્ટ્રી

Advertisement

ગુજરાતના નવા મંત્રી મંડળમાં સૌરાષ્ટ્રમાંથી ભાવનગર જિલ્લાના બે ધારાસભ્યને મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. જેની પાછળ એવું કહેવાઈ રહ્યું છે કે થોડા સમય પહેલા વડાપ્રધાન ભાવનગરની મુલાકાતે આવ્યા હતાં ત્યારે ત્યાંની સભાથી તેઓ ખુબ પ્રભાવિત થયા હતાં. જેના ભાગરૂપે આ બન્નેનો સમાવેશ મંત્રી મંડળમાં થયો છે. રાજ્યના નવા મંત્રી મંડળમાં ભાવનગરના બે ધારાસભ્યને મંત્રી પદ આપવામાં આવ્યું છે. જેમાં જૂના મંત્રી મંડળના પરસોત્તમ સોલંકીને રીપીટ કરવામાં આવ્યા છે.

જ્યારે પૂર્વ મંત્રી અને પૂર્વ પ્રદેશ પ્રમુખ, પાટીદાર આગેવાન જીતુ વાઘાણીની રી એન્ટ્રી કરવામાં આવી છે. આ બન્ને નેતાઓએ થોડા સમય પહેલા ભાવનગરની વડાપ્રધાનની મુલાકાત દરમિયાન કાબીલેદાદ કામગીરી કરી હતી. વડાપ્રધાન સભામાં જંગી જનમેદની એકઠી કરી હતી તેમજ કોળી સમાજમાં પરસોત્તમ સોલંકીનું પ્રભુત્વ પણ જોવા મળે છે. સામે પાટીદાર અને ખાસ કરીને લેઉઆ પટેલ સમાજમાં જીતુ વાઘાણી કદાવર નેતા તરીકે જાણીતા છે. જેથી તેમની મંત્રી મંડળમાં પસંદગી થઈ હોવાનું મનાઈ રહ્યું છે.

Tags :
bhavnagarbhavnagar newsBJPgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement