For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ધોરાજીના વેગડી ગામ પાસેનો ભાદર બ્રિજ જોખમી

11:58 AM Jul 11, 2025 IST | Bhumika
ધોરાજીના વેગડી ગામ પાસેનો ભાદર બ્રિજ જોખમી

સમારકામના અભાવે જર્જરિત હાલતમાં

Advertisement

રાજકોટ ધોરાજીના વેગડી ગામ પાસે આવેલ ભાદર નદી ઉપર નો બ્રિજ 1967 માં બનાવવામાં આવ્યો હતો ત્યારથી આજદિન સુધી સમારકામ કરવામાં જર્જરિત ન આવતા બ્રિજ જર્જરિત થઈ ગયો છે, ધોરાજીના વેગડી ગામ પાસે આવેલ ભાદર નદી ઉપરનો બ્રિજ ધોરાજીથી ,જામકંડોરણા, દ્વારકા, જામનગર તરફ જવાનો માર્ગ હોવાથી અહીંયાંથી રોજના હજ્જારો વાહનો પસાર થતા હોય છે જેથી વાહન ચાલકોમાં ભય છે,કારણ કે બ્રિજ જર્જરિત ગયો છે,બ્રિજ ઉપર મસમોટા ગાબડાં પાડવા સાથે બિસ્માર હાલતમાં છે,તેમજ ભારે વરસાદ વરસે તો બ્રિજ ઉપર થી પણ પાણી વહેતુ હોય છે,સાથે જ તંત્ર દ્વારા બ્રિજ ઉપર સમારકામ જ કરવામાં નથી જેથી ક્યાંક તંત્ર પણ કોઈ દુર્ઘટનાની રાહ જોતું હોય તેવા આક્ષેપ લોકો કરી રહ્યા છે,ત્યારે બ્રિજ ઉપરથી પસાર થતા સમયે જો કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ તે પણ એક સવાલ છે,ત્યારે વહેલી તકે બ્રિજનું સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે, જર્જરિત બ્રિજ બાબતે સ્થાનિક તંત્રએ પણ અંગત રસ લઈને મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં સમારકામ કરવું જરૂૂરી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement