દ્વારકાધીશને તિરૂપતિ બાલાજીના સુંદર શૃંગાર: અંબાણી પરિવાર દ્વારા જગતમંદિરમાં છપ્પનભોગ મનોરથ યોજાયો
11:13 AM Mar 06, 2024 IST | admin
Advertisement
દ્વારકાધીશના જગતમંદિરમાં ગઈકાલે મંગળવારે સાંજે ઠાકોરજીને તિરૂપતિ બાલાજીના દૈદિપ્યમાન સ્વરૂપ સાથેનો શૃંગાર મનોરથ યોજવામાં આવ્યો હતો.
મંગળવારે સાંજે ઠાકોરજીના ઉત્થાપન સમયે રિલાયન્સ ગૃપના અંબાણી પરિવારના સૌજન્યથી પૂજારી દ્વારા જગતમંદિરમાં છપ્પનભોગ મનોરથ યોજવામાં આવ્યો હતો. ઠાકોરજીના દિવ્ય સ્વરૂપ સાથેના છપ્પનભોગ મનોરથનો ઉપસ્થિત હજારો ભાવિકોએ લાભ લીધો હતો તેમજ ઓન લાઈનના વિવિધ માધ્યમથી લાખો કૃષ્ણ ભકતોએ આ દિવ્ય દર્શન નિહાળ્યા હતા.
Advertisement
Advertisement