ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

પ્ર.પાટણમાં ધાર્મિક દબાણો દૂર કર્યા હોય તેવી જમીન પર પ્રવેશ પર પ્રતિબંધ

12:06 PM Sep 30, 2025 IST | Bhumika
Advertisement

જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ, ઉલ્લંંઘન કરનાર શિક્ષાપાત્ર ઠરશે

Advertisement

સરકારી જમીનની જાળવણી કરવા તેમજ તેના ઉપર થતું અનઅધિકૃત દબાણ અટકાવવા બાબતે સરકારના મહેસુલ વિભાગ દ્વારા સમયાંતરે ઠરાવ, જાહેરનામા તથા પરિપત્ર કરી સૂચનાઓ આપવામાં આવી છે. ઉપરાંત સુપ્રિમ કોર્ટના ઓર્ડરથી જાહેર શેરીઓ, જાહેર ઉદ્યાનો કે અન્ય જાહેર સ્થળો વગેરે પર ધાર્મિક પ્રકારના જેવા કે, મંદિર, મસ્જિદ, ચર્ચ, મકબરા, ગુરુદ્વારા વગેરે પ્રકારના ધર્મસ્થાનોના અનઅધિકૃત થયેલા બાંધકામ દૂર કરવા તથા નવા અનઅધિકૃત ધાર્મિક બાંધકામ ન થાય તે અંગે રાજય સરકારે જરૂૂરી નિર્દેશો/સૂચનાઓ પ્રસારીત કરી છે.

આ સૂચના અન્વયે ગીર સોમનાથ જિલ્લામાં ઝુંબેશના ભાગરૂૂપે વેરાવળ તાલુકાના પ્રભાસપાટણમાં આવેલ સરકાર સદરેની સ.નં.1851 અને સ.નં.185ર વાળી જમીન પરના ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યાં છે.આ જમીન પર અન્ય વ્યકિતઓના પ્રવેશ કે દબાણ કરવાથી લોકો વચ્ચે ઘર્ષણ, કોમી હિંસા, રમખાણો તથા તોફાનો થવાની સંભાવના જણાય છે. જેથી જાહેર સુલેહ શાંતી અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે તકેદારી રાખવા અગમચેતીના પગલા લેવાના ભાગરૂૂપે અન્ય કોઈ ઈસમ/સંસ્થા/કંપનીના પ્રવેશબંધી અંગેનું ભારતીય નાગરીક સુરક્ષા સંહિતાની કલમ-163 હેઠળ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.ગીર સોમનાથ જિલ્લા મેજિસ્ટ્રેટ એન.વી. ઉપાધ્યાય દ્વારા પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામા અનુસાર વેરાવળ તાલુકાના પ્રભાસપાટણના સરકાર સદરે આવેલ સ.નં.1851 અને 185ર વાળી જમીન/મિલકત પર કોઈ પણ ઈસમ/સંસ્થા/કંપનીએ પ્રવેશ કે દબાણ કરવા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ-223 મુજબ શિક્ષાપાત્ર ઠરશે. તેમજ આ જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ માંડવા માટે ફરજ પરના પોલીસ હેડ કોન્સ્ટેબલ કે તેથી ઉપરની કક્ષાના પોલીસ સ્ટાફને અધિકૃત કરવામાં આવે છે. આ જાહેરનામું તા. 01/10/202પથી 60 દિવસ સુધી અમલમાં રહેશે.

Tags :
gujaratgujarat newsPatanPatan news
Advertisement
Next Article
Advertisement