For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જન્મ-મરણ વિભાગમાં ફરી ડખ્ખો: ડેથ સર્ટિ. માટે ફાયરના દાખલાની માંગ

05:43 PM Nov 06, 2025 IST | admin
જન્મ મરણ વિભાગમાં ફરી ડખ્ખો  ડેથ સર્ટિ  માટે ફાયરના દાખલાની માંગ

Advertisement

રાજકોટ મહાનગરપાલિકાના જન્મ-મરણ વિભાગમાં આજે ફરી વખત ડખ્ખો થયો હતો સવારથી કચેરી ખાતે અરજદારોએ લાઈનો લાગવી હતી જેમાં મરણના દાખલા માટે આવેલ અરજદારો પાસે ફાયર વિભાગની ચીઠ્ઠીનો હઠાગ્રહ રાખતા અરજદારોમાં દેકારો બોલીગયો હતો. નિયમ મુજબ ડેથ સર્ટી માટે સ્મશાન ખાતેથી આપવામાં આવેલ રશીદ માન્ય રાખવામાં આવતી હોય છે આ રશીદ ઉપરથી કોમ્પયુટરમાં થયેલ એન્ટ્રીની ચકાસણી ઓપરેટર દાખલો કાઢી આપે છે. આ પ્રથા વર્ષોથી ચાલી આવે છે ત્યારે આજથી ડેથ સર્ટી માટે ફાયર વિભાગની ચીઠ્ઠી ન હોય તો દાખલો ન આપવાનો નિયમ અમલ કરાાતા અરજદારોમાં રોષ વ્યાપી ગયો હતો અને આ મુદ્દે અધિકારીઓ તેમજ પદાધિકારોએને ફોન કરાાતા તેઓ મીટીંગમાં વ્યસ્ત હોવાથી કોઈનો ફોન ઉપડતો ન હોય અરજદારો પરેશાન થઈ ઉઠ્યા હતાં.

મહાનગર પાલિકાના જન્મ મરણ વિભાગમાં છેલ્લા છ માસથી ત્રણ પોર્ટલનો ડખ્ખો ઉભો થયો છે. સરળતા માટે તંત્ર દ્વારા ત્રણેય પોર્ટલ ઉપર બે બે દિવસ અલગ અલગ પ્રકારની કામગીરી શરૂૂ કરવામાં આવી છે. બહાર ગામથી આવતા અજાણ અરજદારોને ધરમનો ધક્કો થતો હોય ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેની સામે તંત્રએ પણ લોકોને ધક્કો ન થાય તે માટે ત્રણેય પોર્ટલની કામગીરી એક સાથે શરૂૂ કરી માનવતા દાખવી છે. પરંતુ આજે મરણના દાખલા માટે ફાયર વિભાગની ચીઠઠી માંગતાં અરજદારો દોડતા થઈ ગયા છે. આજે પણ કચેરી ખાતે અરજદારોની લાઇનો જોવા મળી રહી છે. છ-છ મહિનાથી અજરદારો પરેશાન થઇ રહ્યા છે. છતાં પદાધિકારીઓએ એક પણ વખત આ મુદ્દે જન્મ-મરણ વિભાગ સાથે ચર્ચા કરી સ્ટાફ અને કિટ વધારવાની તસદી લીધી નથી. જેનો ભોગ જન્મ-મરણ વિભાગનો સ્ટાફ બની રહ્યો છે.

Advertisement

મનપાના જન્મ-મરણ વિભાગમાં રોજેરોજ લાગતી અરજદારોની લાઇનોથી વિભાગીય સ્ટાફ જવાબો આપી કંટાળી ગયો છે. પોર્ટલમાં કોઇ જાતની છેડછાડ કે સુધારા વધારા કરવાની સત્તા ફકત સરકાર પાસે હોવાથી ધીમી ગતીએ કામગીરી ચાલુ રાખવામાં આવી છે અને અરજદારો પણ સવારથી કચેરી ખાતે લાઇનો લગાવી રહ્યા છે. છતા લાચર અરજદારોની પરેશાની હલ કરવાના બદલે પદાધિકારીઓ ઘોર નિંદ્રામાં હોય તેવુ લાગી રહ્યુ છે.

મહાનગરપાલિકાના જન્મ-મરણ વિભાગમાં છેલ્લા છ માસથી આંધાધુંધી સર્જાઇ છે જેનુ મુખ્ય કારણ કેન્દ્ર સરકાર દ્વારા શરૂૂૂ કરવામાં આવેલા નવા પોર્ટલ ઉપર ડેટા અપલોડ ન થતા દાખલાઓ નીકળતા નથી 2020 પછીની એન્ટ્રી થઇ શકતી હોય 2020 પહેલાના તમામ ડેટાઓ રાજ્ય સરકારના પોર્ટલ મારફતે ઉપલબ્ધ કરાવામાં આવતા હતા. તેમા પણ સુધારા વધારા ન થતાં અંતે તંત્રએ મનપાએ બનાવેલા જૂના પોર્ટલ ઉપર કામગીરી શરૂૂૂ કરી હવે કેન્દ્ર સરકારના પોર્ટલ ઉપર 2025 પછીના તથા રાજ્ય સરકારના પોર્ટલ ઉપર 2020 પહેલા અને સુધારા વધારા માટેના મહાનગરપાલિકાના પોર્ટલ ઉપર કામગીરી શરૂૂૂ કરી છે. જેના માટે અરજદારોને સપ્તાહમાં બે-બે દિવસનો સમય ફાળવી વારા કાઢવામાં આવી રહ્યા છે.

જન્મ-મરણ વિભાગમાં વર્ષોથી મનપાએ બનાવેલ પોર્ટલ ઉપર કામગીરી થતી હતી. ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા નવુ પોર્ટલ તૈયારી કરી તમામ પાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં આ પોર્ટલને કાર્યરત કરવાની સૂચના આપવામાં આવેલ જેના લીધે મનપાના પોર્ટલનો તમામ ડેટા રાજ્ય સરકારના પોર્ટલમાં અપલોડ કરવામાં આવ્યો અને કામગીરી સરફળતાથી ચાલતી હતી. ત્યારે કેન્દ્ર સરકારે નવો સીઆરએસ પોર્ટલ તૈયાર કરી આ પોર્ટલ પર જન્મ-મરણ વિભાગની કામગીરી કરવાના આદેશ આપ્યા હતા.

તા.1-9-25થી આ પોર્ટલ કાર્યરત થયેલ પરંતુ 2020 પહેલાનો તમામ ડેટા આ પોર્ટલ ઉપર અપલોડ ન થતા જન્મ-મરણ વિભાગમાં અરજદારોની લાઇનો લાગતા તંત્રએ આ મુદ્દે સરકારમાં રજૂઆત કરેલ છતાં છ માસથી જન્મ-મરણ વિભાગમાં આંધાધુંધી માહોલ જોવા મળી રહ્યો હતો. આથી સરકારે રાજકોટ સહિતની મહાનગરપાલિકાઓને રાજ્ય સરકારે શરૂૂૂ કરેલ જૂનુ પોર્ટલ એચવીઇ શરૂૂૂ કરવાની સૂચના આપી હતી. જેના લીધે મહાનગરપાલિકાએ હવે ત્રણેય પોર્ટલ પર બે-બે દિવસ કામગીરી થઇ શકે તેવુ ટાઇમ ટેબલ જાહેર કરવામાં આવ્યુ છે. પરંતુ બહાર ગામના અરજદારોની મુશ્કેલીઓ ધ્યાનમાં લઇ માનવતાના ધોરણે સ્ટાફ દ્વારા ત્રણેય પોર્ટલની કામગીરી કરવામાં આવી રહી છે. જેના લીધે સમય લાગતો હોય જેના લીધે લાઇનો લાગતી જોવા મળી રહી છે. જે તરફ પદાધિકારીઓ કે ઉચ્ચ અધિકારીઓએ આજ સુધી જોયું નથી.

સત્તાધારી પક્ષ ઘરના ડખ્ખા ઉકેલવામાં વ્યસ્ત
મનપાના જન્મ મરણ વિભાગમાં છેલ્લા છ માસથી અફરાતફરી જોવા મળી રહી છે. જેમાં આજે નવા નિયમનો ઉમેરો કરાતા અરજદારોમાં દેકારો બોલી ગયાો છે આ મુદ્દે પદાધિકારીઓને અમુક લોકોએ ફોન કરતા તેઓએ ફોન ઉપાડવાની તસ્દી લીધી ન હતી અને અમુકે મિટીંગમાં વ્યસ્ત છીએ તેવું જણાવતા અરજદારોમાં ચર્ચા જાગેલ કે છેલ્લા ઘણા સમયથી ભાજપમાં અંદરોઅંદર ચાલતા ડખાને કારણે પદાધિકારીઓ પણ પોતાના માનીતાઓની માગણીઓને વસ થઈ ઉદ્ભવેલા ડખા ઉકેલવામાં વ્યસ્ત થઈ ગયા છે. જેના લીધધે અરજદારોને પરેશાની વેઠવાનો વારો આવ્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement