રાજકોટમાં વધુ એક અકસ્માત: ઇન્દિરા સર્કલ પાસે સિટી બસે અનેક લોકોને કચડી નાખ્યા, 4નાં મોતની આશંકા
10:37 AM Apr 16, 2025 IST | Bhumika
Advertisement
રાજકોટમાં વધુ એક ગમખ્વાર કસ્માંતની ઘટના સામે આવી છે. શહેરના ઈન્દિરા સર્કલ પાસે સિટી બસચાલકે અનેક વાહનોને અડફેટે લીધાં છે. આ અકસ્માતમાં 4નાં મોતની આશંકા છે. આ અકસ્માત સર્જાતા અફરાતફરી સર્જાઈ હતી.
Advertisement
આ ઘટના અંગેની મળતી વિગતો અનુસાર રાજકોટમાં સિટી બસચાલકે અનેક વાહનોને અડફેટે લેતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 4નાં મોતની આશંકા છે. આ અકસ્માત સર્જાતા અફરાતફરી સર્જાઈ હતી. અકસ્માત બાદ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને લોકોએ બસમાં તોડફોડ કરી હતી. લોકોએ સિટી બસના કાચ ફોડી નાખ્યા છે. આ ઘટનાની જન થતાં જ પોલીસ ઘટના સ્થલી પહોંચી હતી.
Advertisement