અમિત ખૂંટ આપઘાત કેસમાં અનિરૂધ્ધસિંહના આગોતરા નામંજૂર
પુત્ર રાજદિપસિંહ બાદ અનિરૂધ્ધસિંહના આગોતરા સેશન્સ કોેર્ટે નામંજૂર કરતા પિતા-પુત્રની મુશ્કેલી વધી
રીબડાનાં અમિત દામજીભાઇ ખુંટનાં આપઘાત મામલે છેલ્લા ઘણા વખતથી ફરાર રીબડાનાં અનિરૂધ્ધસિંહ મહીપતસિંહ જાડેજાનાં આગોતરા સેસન્સ કોર્ટે નામંજુર કર્યા છે. થોડા વખત પુર્વ આ કેસમા સંડોવાયેલા અનિરૂધ્ધસિંહનાં પુત્ર રાજદિપસિંહે પણ આગોતરા માટે અરજી કરી હોય જે સેસન્સ કોર્ટે નામંજુર કરી હતી પુત્ર બાદ પિતાનાં પણ આગોતરા નામંજુર થતા બંનેની મુશ્કેલીઓ વધી છે.
રીબડાનાં અમિત ખુંટ સામે રાજકોટનાં એ ડીવીઝન પોલીસ મથકમા ચાર માસ પુર્વે દુષ્કર્મની ફરીયાદ નોંધાય હોય જેનાં બીજા જ દીવસે અમિત ખુંટે આપઘાત કરી લીધો હતો અમિતે આપઘાત પુર્વે લખેલી પાંચ પાનાની સ્યુસાઇડ નોટમા રીબડાનાં અનિરૂધ્ધસિંહ મહીપતસિંહ જાડેજા, તેમનાં પુત્ર રાજદિપસિંહ તેમજ દુષ્કર્મની ફરીયાદ નોંધાવનાર યુવતી સહીતનાનાં નામ આપ્યા હોય જે તમામ વિરુધ્ધ ગોંડલ તાલુકા પોલીસમા આપઘાત માટે મજબુર કરવા અંગેનો ગુનો નોંધાયો હતો.
આ ફરીયાદ નોંધાયા બાદ તપાસમા જુનાગઢનાં રહીમ મકરાણીનુ નામ પણ ખુલ્યુ હતુ. આ ઘટનામા અનિરૂધ્ધસિંહ જાડેજા, તેમનાં પુત્ર રાજદિપસિંહ અને રહીમ મકરાણી ફરાર હોય ગત સપ્તાહે રાજદીપસિંહ જાડેજાએ સેશન્સ કોર્ટમા આગોતરા માટે અરજી કરી હતી તે અરજી સેસન્સ કોર્ટે નામંજુર કરી હોય . ત્યારબાદ ગઇ કાલે અનિરૂધ્ધસિંહ જાડેજાની આગોતરા પણ સેશન્સ કોર્ટે ફગાવી દેતા હવે આ કેસમા પિતા - પુત્રની મુશ્કેલીમા વધારો થયો છે.
ગોંડલ તાલુકા પોલીસ મથકમા દાખલ થયેલા ગુનામા ચાર્જશીટ મુકાઇ ગયુ છે જેમા અનિરૂધ્ધસિંહ અને રાજદીપસિંહ તેમજ રહીમ મકરાણીને ફરાર દર્શાવાયા છે. અનિરૂધ્ધસિંહ જાડેજાએ અમિત ખુંટને મરવા માટે મજબુર કર્યો હોવાની વાતનો સ્યુસાઇડ નોટમા ઉલ્લેખ છે આ કેસનાં અન્ય આરોપીઓ સામે ચાર્જશીટ કરાઇ છે જેમા આરોપીને ફરાર દર્શાવવામા આવ્યા હોવાની દલીલ સરકારી વકીલ ઘનશ્યામ ડોબરીયાએ કરેલી દલીલને ગોંડલ સેશન્સ કોર્ટે માન્ય રાખી અનિરૂધ્ધસિંહનાં આગોતરા ફગાવી દીધા હતા.