For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સમર્પણ સર્કલ નજીક બેકાબૂ કારે ડિવાઇડર કુદી પલટી મારી

12:08 PM Oct 03, 2024 IST | Bhumika
સમર્પણ સર્કલ નજીક બેકાબૂ કારે ડિવાઇડર કુદી પલટી મારી
Advertisement

શહેરમાં આજે સવારે સમર્પણ સર્કલ નજીક સ્વામી નારાયણ મંદિર પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ખંભાળિયાથી જામનગર તરફ આવી રહેલી GJ 16 AM 3387 નંબરની ઈનોવા કારના ચાલકે અચાનક સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા કાર રોડ પરના ડિવાઈડરને કૂદીને રોંગ સાઈડમાં ઉંધી પડી ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર ચાલક સહિતના તમામ મુસાફરો ઘાયલ થયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ઘાયલોને તાત્કાલિક બહાર કાઢીને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ થતાં સિટી સી ડિવિઝન પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને અકસ્માતના કારણોની તપાસ હાથ ધરી હતી. પોલીસે પ્રાથમિક તપાસમાં જણાવ્યું હતું કે, કાર ચાલકે કદાચ વધુ ઝડપે વાહન ચલાવ્યું હશે અથવા તો તેને નિદ્રા આવી ગઈ હશે. જોકે, અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતને પગલે થોડા સમય માટે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. પોલીસે ટ્રાફિકને વહેલી તકે પુન:સ્થાપિત કરીને ટ્રાફિક જામની સ્થિતિને નિયંત્રણમાં લીધી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement